________________
વિજય શાથી મળે છે?
૧૫૫
મંત્રીશ્વર ભામાશાહના યુદ્ધકૈશલ્ય માટે મને બહુ માન હતું જ અને તેમાં તમે કહેલી વાતથી વિશેષ વૃદ્ધિ થયેલી છે. ભામાશાહ એ ખરેખર અલૈકિક પુરૂષ છે અને મને ખાતરી છે કે મેવાડને ઉદ્ધાર પણ તેના જ હાથે થશે. મહારાણાની દ્રઢતા અને સ્વદેશની સ્વતંત્રતા મેળવવા માટે તેમને ઉત્સાહ જોઈને પણ તેમના માટે: ધન્યવાદના શબ્દો મારા મુખમાંથી નીકળ્યા સિવાય રહેતા નથી. આવા રાજા અને આવા મંત્રીને જે દેશ અને જે ભૂમિ ધરાવે છે, તેને ઉદ્ધાર ગમે ત્યારે પણ થયા સિવાય રહેશે નહિ, પરંતુ તેમની અત્યારની દુઃખી સ્થિતિને અહેવાલ સાંભળીને મને બહુ દિલગીરી થાય છે. શું હું એક ક્ષત્રિય થઈને મારા દુઃખી થતાં જાતિભાઈને કાંઈ સહાય ન કરી શકું?કરમચંદ !”
“અવશ્ય મદદ કરી શકે, પરંતુ જ્યાં સુધી આપ બાદશાહના કેદી છે, ત્યાં સુધી અહીં બેઠા મહારાષ્ટ્રને માત્ર અત્યંત ગુપ્ત રીતે કાગલથી આશ્વાસન આપવા સિવાય બીજું કાંઈ કરી શકે તેમ નથી.” કરમચંદે સ્પષ્ટતાથી ઉત્તર આપે.
પૃથવીરાજને તેના ખરી વસ્તુસ્થિતિનું ભાન થતાં તેણે પિતાની ભ્રકુટી ચડાવીને પૂછ્યું. “તમારી વાત સત્ય છે, કરમચંદ! પરંતુ બાદશાહની નજરકેદમાંથી શું છૂટી શકાય તેમ નથી? તમે કાંઈ ઉપાય બતાવી શકે તેમ છે?”
કરમચંદે ઉત્તર આપે. “રાજાસાહેબ ! હું કેટલાએ દિવસેથી એજ વિચાર કરી રહ્યો છું, પરંતુ હજુ સુધી કાંઈ પણ ઉપાય મળી આવ્યો નથી.”
તે પછી આપણે આ સ્થિતિમાં અહીં હાથ-પગ જોડીને ક્યાંસુધી બેસી રહેશું ?” પૃથિવીરાજે પુનઃ પૂછયું.
“એ વિષે હાલ કાંઈ પણ કહી શકાય તેમ નથી, કેમકે અને કબરશાહ જેવા મહાન દક્ષ અને રાજકળાનિપુણ બાદશાહના પંજામાંથી સ્વતંત્ર થવું, એ કાંઈ સરલ કાર્ય નથી, તેમ છતાં તેથી નિરાશ થવાનું પણ કાંઈ પ્રજન નથી.” કરમચંદે સત્ય જવાબ આપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org