________________
ભાગ્યવિધાયક ભામાશાહ. રાણુ પોતાના પરિવાર સાથે ચપન પ્રદેશમાં આવેલા ચાન્ડ નગરમાં જઈને વિશ્વાસુ ભીના આશ્રયે રહ્યા હતા તથા તે સમયે મહારાણાને પકડી બાદશાહ સન્મુખ લાવવાની પ્રતિજ્ઞા કરીને સેનાપતિ કરિદખાં અને તેની સાથે રાજા માનસિંહને સરદાર ચંદ્રસિંહ ચપન પ્રદેશ ઉપર ચડાઈ લઈ ગયા હતા, તે તો આ પણે જાણીએ છીએ. આ યુદ્ધમાં મહારાણાને વિજય થયું છે અને ફરિદખાને સદંતર નાશ થાય છે તથા ચંદ્રસિંહ નાશી છુટ છે આઘટનાઓનું વર્ણન કરતાં સલું બરરાજ ગોવિંદસિંહજી કાગલમાં લખે છે કે આ યુદ્ધમાં ખરેખરૂં મહત્ત્વનું કાર્ય મંત્રીશ્વર ભામાશાહે કરેલું છે અને જે તેણે ચંદ્રસિંહની તલવારને ભેગ થતાં મહારાણુને એગ્ય વખતે આવીને બચાવી લીધા ન હોત, તે આ જે મેવાડનો સૂર્ય ક્યારનો અસ્ત પામી ગયે હોત અને સમસ્ત રાજસ્થાનમાં અંધકાર વ્યાપી ગયા હતા. ગેવિંદસિંહે ભામાશાહની કાર્યકુશળતા અને બહાદુરીની ઘણી જ પ્રશંસા કરેલી છે. છેવટે એ અનુભવી સરદાર લખે છે કે જે કે આ યુદ્ધમાં અમને ભગવાન એકલિંગજીની કૃપાથી વિજય મળ્યો છે તે પણ અમે નિરાંત કરીને શાંતિથી એક સ્થળે બેસી શકીએ તેમ નથી, કારણ કે પિતાના થયેલા આ પરાજયથી બાદશાહ અકબર ક્રોધે ભરાઈને તુરત જ બીજો હુમલે કરવાને માટે વિશાળ સૈન્યને રવાના કરશે અને તેથી અમારે અમારા બચાવને માટે આ સ્થળને ત્યાગ કરે પડશે. વળી અમારી પાસેના ઘણાં ખરા સૈિનિકે યુદ્ધમાં કામ આવી ગયા છે તથા જે જીવતા રહ્યા છે, તેને લાંબો વખત ચાલે એટલું અનાજ વગેરે પણ અમારી પાસે રહેલું નથી. આવી સ્થિતિમાં ભવિધ્યમાં શું થશે, એની કલ્પના અત્યારથી કરવી નિરૂપયોગી છે અને તેથી માત્ર ભગવાન એકલિંગજીની કૃપાને ઈચછતાં અમે સર્વે આ સ્થળને ત્યાગ કરીને તમને આ કાગળ પહેચશે તે પહેલાં અન્યત્ર ચાલ્યા ગયા હશું.”
બકરમચંદ!” પૃથિવીરાજે કાગળને વૃત્તાંત સાંભળી લીધા પછી કહ્યું. “કાગળની હકીક્ત સાંભળતાં એક તરફથી આનંદ અને તે જ ક્ષણે બીજી તરફથી દિલગીરીને સાથે અનુભવ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org