________________
૧૫ર
ભાગ્યવિધાયક ભામાશા. ર્માસ થઈ રહ્યા બાદ બાદશાહ પાસે જવાને માટે વિહાર કરીશ. શ્રાવકે એ સાંભળીને ખુશી થયા અને ચાતુર્માસને સંપૂર્ણ થવાને થે સમય હોવાથી તેઓ વિહાર થતાં સુધી શેકાયા.
ચાતુર્માસ સંપૂર્ણ થતાં શ્રી હીરવિજયસૂરિએ ગાંધારમાંથી પિતાના શિષ્ય પરિવાર સમેત વિહાર કર્યો. મહી નદી ઉતરી વટદલ અને ખંભાત થઈને તેઓશ્રી શૈડા દિવસમાં અહમદાવાદ આવી પહોંચ્યા. અહમદાબાદના જેનેએ તેમને મોટા સમારેહથી નગરપ્રવેશ કરાવ્યું. સુબેદાર શાહબુદ્દીને તેમને ઘણું જ આદરમાન સાથે પિતાના મહેલમાં લાવ્યા અને બહુમૂલ્ય હીરા માણિજ્ય અને મોતી વગેરે વસ્તુઓ ભેટ કરીને અકબરશાહની ઈચ્છા જણાવી તેમને બાદશાહથી પાસે જવાની વિનંતિ કરી.
સૂરિજીએ જવાબ આપે. “ખાંસાહેબ! સંસારને ત્યાગ કરીને મેં મુનિજીવનને સ્વીકાર કરેલો હોવાથી તમે ભેટ કરેલી આ સુંદર અને બહુમૂલ્ય વસ્તુઓને લઈને હું શું કરું?” મારે તેમની એક પણ વસ્તુની જરૂર નથી, તેમ નિ:સ્વાથી જીવનના અંગે તેને સ્વીકાર પણ મારાથી થઈ શકે નહિં; માટે તમે તેને ઉપગ નિરાધાર અને ગરીબ માનને અને પ્રાણીઓને બચાવવામાં કરશે એ વી મારી ઈચ્છા છે બાદશાહ અકબરશાહની શુભેચ્છાને માન આપી હું તેમની પાસે જવાને માટેજ વિહાર કરતે કરતે અત્રે આવેલું છું અને તેથી અહીં કેટલાક સમય વિતાવ્યા પછી હું અહીંથી વિહાર કરીને તે તરફ જઈશ, માટે તે દરમ્યાન તેમને મારા વિહાર સંબં ધી ખબર પહોંચાડવી હોય તે ખુશીથી પહોંચાડજે.”
શાહબુદ્દીન સુરિજીની નિઃસ્વાર્થ બુદ્ધિ જોઈને ચકિત થઈ ગયે અને તેમની ઘણીજ પ્રશંસા કરી તેણે કહ્યું. “સૂરિજી ! આપના કહેવા મુજબ બાદશાહ સલામતને આપના વિહાર સંબં ધી ખબર આજે મોકલાવીશ; માટે આપને જ્યારે અનુકૂળતા હોય, ત્યારે આપ તેમની હજુર જવાને વિહાર કરજે, ઉતાવળ કરવાની કે તકલીફ ઉઠાવવાની કશી અગત્ય નથી.”
ત્યારબાદ જુદા જુદા વિષય ઉપર કેટલોક સમય ચર્ચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org