________________
ભાગ્યવિધાયક ભામાશા.
વિમળા પિતાના લઘુબંધુની દઢતા સમજી ગઈ અને તેથી તેણે પિતાને આગ્રહ છેડી દઈને કહ્યું. “ભાઈ! તમે જ્યારે આટલી હદ સુધી સત્યનું શોધન કર્યું છે અને તેથી દીક્ષા લેવાના દ્રઢ નિશ્ચય ઉપર આવી ગયા છે, ત્યારે હું તમને પ્રેમ કરતાં અટકાવવાનું પસંદ કરતી નથી. તમારા આવા ઉત્તમ વિચારે જાણીને મને બહુજ આનંદ થયે છે અને સાથે સાથે અભિમાન પણ થયું છે. પ્યારા બંધુ! તમે ખુશીથી દીક્ષા અંગિકાર કરો અને સત્ય સુખને વરવા ભાગ્યશાલી થાઓ. મારી તમને આશીષ છે.”
હીરે પિતાની બહેનની ઓ પ્રમાણે આજ્ઞા મેળવ્યા પછી સંવત ૧૫૯૬, કાતિક વદી ૨ ના રોજ આચાર્ય શ્રી વિજયદાનસૂરિ પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી ગુરૂએ તેમનું બુદ્ધિચાતુર્ય તથા તેમના ઉચ્ચ ગુણે જોઈને તેમને દક્ષિણ પ્રદેશમાં ન્યાયશાસ્ત્રનું અધ્યયન કરવા મોકલ્યા હતા. ત્યાં તેઓ કેટલોક સમય રહી જાય. શાસ્ત્રમાં પારંગત થઈને પુનઃ પાટણમાં આવી તેમણે પિતાના પાંડિત્યનું દર્શન કરાવીને પોતાના ગુરૂને પ્રસન્ન કર્યો. ત્યારબાદ શ્રી વિજયદાનસૂરિ પોતાના શિષ્યમંડળ સાથે વિહાર કરતાં કરતાં નારદપુરમાં આવ્યા અને ત્યાં હરવિજયને “વાચક”ની ઉપાધિ મળી. શ્રી વિજયદાનસૂરિને જેમ જેમ હીરવિજયને પરિચય પડતો ગયે, તેમ તેમ તેમને તેમની ઉત્કૃષ્ટ બુદ્ધિ, તેમનાં ઉચ્ચ ગુણો, તેમનું જ્ઞાન, તેમની નમ્રતા અને તેમની નિરાભિમાન વૃત્તિની ખબર પડતી ગઈ અને તેથી તેઓ તેમના ઉપર બહુજ પ્રસન્ન રહેતા હતા. નારદપુરમાંથી વિહાર કરી તેઓ કેટલાક સમય વિત્યા પછી સિદેહીમાં આવ્યા અને ત્યાંજ ચાતુર્માસ વ્યતિત કરવાનો નિશ્ચય કર્યો. તેઓ ત્યાં ચાતુર્માસ રહ્યા તે દરમ્યાન હીરવિજયની વધુ ગ્યતા જણાતાં તેમને આચાર્ય પદવી આપવાને તેમણે વિચાર કર્યો અને તે માટે સ્થાનીક શ્રી સંઘની શી ઈચ્છા છે, તે જાણી લેવાને માટે તેમણે પોતાનો વિચાર સંઘ સન્મુખ જાહેર કર્યો, સિરોહીના સંઘે તેમના વિચારને ખુશીથી વધાવી લીધે. તે પછી યોગ્ય મુહૂ હીરવિજયને આચાર્યપદવી આપવામાં આવી અને ત્યારથી તેઓ આચાર્ય શ્રી હીરવિજયસૂરિના નામથી ઓળખાવા લાગ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org