________________
આચાર્ય શ્રી હીરવિજયસૂરિ. વાર મેળવવાને માટે મારે શા માટે મારા દુર્લભ મનુષ્ય અવતારને વૃથા ગુમાવે જોઈએ? બહેન! તમે સુખ કેને કહે છે? સંસા૨માં સુખ જેવી વસ્તુ કઈ છે? એક તરફ મુસલમાને અને રાજપૂતે લડે છે અને બીજી તરફ ખુદ હિદુઓ જ માંહોમાંહે યુદ્ધ કરી રહ્યા છે અને આ યુદ્ધમાં-માનની સ્વાર્થ યુક્ત લડાઈમાં હજારો મનુષ્યની કલ થાય છે અને લોહીની નદીઓ વહે છે, શું આ સુખ છે? બહારથી ઐશ્વર્યવાન અને દમામદાર જણાતાં બાદશાહ અને રાજાઓ અંતરથી દિનરાત રાજ ખટપટ અને પિતાની સત્તા નભાવી રાખવાના કુર કાવત્રામાં પીડાતા જણાય છે, શું તેઓ સુખી છે ? શ્રીમંત મgષ્ય ધનને અધિક અને અધિક વધારવામાં પિતાના જીવનને ગાળતાં હોય છે, શું તેમને સત્ય સુખનું એકાદ સ્વપ્ન પણ આવતું હશે ખરું કે ? ગરીબ મનુષ્ય પોતાની આજી. વિકા માટે સખત દેડધામ કરતાં જોવામાં આવે છે, શું તેમને ખરા સુખનો અનુભવ થતો હશે કે આવી રીતે દોડધામવાળી અને જીવનને હાસ કરનારી અનિષ્ટ પ્રવૃત્તિમાં દુનિયા સંડોવાયેલી હેવા છતાં શું તમે તેને સુખી માને છો? તમે ભૂલે છે; સુખ કયાં છે? કામ, ક્રોધાદિ શત્રુઓને જીતવામાં, ચંચળા ઈન્દ્રિયોને વશ કરવામાં, એકાગ્ર ધ્યાને આત્મસ્વરૂપનું ચિંતન કરવામાં, પરમાત્મા મહાવીરના પગલે ચાલવામાં અને દેશનું, સમાજનું અને પ્રાણીમાત્રનું કલ્યાણ કરવાની પ્રવૃત્તિમાં જ હું ખરા સુખને જોઈ શકું છું અને તેથી તે મેળવવાને માટે મેં દીક્ષા ગ્રહણ કરવાને વિચાર રાખ્યો છે, માટે બહેન ! તમારી ઈચ્છાને માન આપી શકતા નથી, તે માટે મને ક્ષમા આપે અને સાથે સાથે દીક્ષા લેવાની રજા પણ આપે કેમકે તમે મારી મોટી બહેન હોવાથી તમારી આજ્ઞા મેળવવી, એ મારું કર્તવ્ય છે.”
તેર-ચૌદ વર્ષની ઉમ્મરના હીરવિજયના મુખમાંથી આવા જ્ઞાનના શબ્દો નીકળતાં સાંભળી વાંચકમહાશયને કદાચ આશ્ચર્ય થશે; પરંતુ જે મહાપુરૂ થવાને જન્મેલા છે, તેઓ બાલ્યાવસ્થાથી જ જ્ઞાની અને અનુભવી હોય છે, એ ઈતિહાસપ્રસિદ્ધ વાત છે અને તેથી તેમાં આશ્ચર્ય પામવાનું કે શંકા લાવવાનું પ્રયોજન રહેતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org