SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ભાગ્યવિધાયક ભામાશા. હતી. હીરવિજય આવા એક વિદ્વાન આચાર્યની શેાધમાં જ હાવાથી તેમણે તેમને સમાગમ કર્યો અને ધીરે ધીરે વધાર્યા. શ્રી વિજયદાનસૂરિની નમ્રતા, તેમના શાંત સ્વભાવ, તેમની કામય વિશાળ દૃષ્ટિ અને તેમના સુંદર ઉપદેશની સચાટ છાપ હીરવિજયના હૃદય ઉપર એટલે સુધી પડી ગઇ કે તેમનું ચિત્ત વૈરાગ્યભાવમાં વધુને વધુ પ્રવૃત્તિ કરતુ ગયું અને છેવટે તે તેમની પાસે દીક્ષા લેવાને પણ તૈયાર થઇ ગયા. આ વાતની તેમની વ્હેન વિમ ળાને ખુખર પડતાં તેણે પેાતાના ભાઈને એક દ્વિવસે એકાંતમાં ખેલાવીને કહ્યું, “ ભાઈ ! મેં સાંભળ્યુ છે કે તમે સ'સારના ત્યાગ કરી આચાર્ય મહારાજ પાસે દીક્ષા લેવાના છે; શું આ વાત સાચી છે ? જો સાચી હાય, તા મારે તમને કહેવુ જોઈએ કે દીક્ષા લેવી એ કાંઇ રમત વાત નથી. દ્વીક્ષા અથવા સંયમવૃત્ત એ નામ ઘણું સુંદર છે, પરંતુ ડુંગર દૂરથી. જેમ રળિયામણેા લાગે છે, તેમ દીક્ષા એ નામમાત્રથી જ સુંદર લાગે છે. કામ, ક્રોધ, લાલ, માહ, મદ અને મત્સરાદિ આંતર શત્રુઓ ઉપર વિજય મેળવવા, એ સરલ વાત નથી; માટે સયમવૃત્ત અંગિકાર કરવાના વિચારને હૃદયમાંથી કઢાડી નાંખી આપણા બીજા બંધુએની જેમ એકાદ ગુણી અને સ્વરૂપવતી કન્યા સાથે લગ્ન કરીને સંસારના સુખને હાલ તા ભાગવા એવી મારી ઇચ્છા છે. ,, હીરવિજયે સંપૂર્ણ શાંતિથી કહ્યુ, “ મ્હેન તમે જે વાત સાંભળી છે, તે સત્ય જ છે. તમે સયમવૃત્તને મુશ્કેલી ભર્યું." કા` જણાવા છે, એ તમારૂ' કથન ગેરવ્યાજબી નથી; પરતુ મે' એ મુશ્કેલ કાર્ય ને સાધવાના નિશ્ચય કરેલા હૈાવાથી સંસારના સુખને ભાગવવાની મારી ઇચ્છા નથી. મ્હેન ! તમે વિચાર કરી કે આ જીવાત્માએ અનેક વખત સંસારના સુખાને અનુભવ્યાં હશે; તે પણ તેને તૃપ્તિ થઇ નથી, એનુ શું કારણ ? એનું કારણ એજ કે સંસારનાં એ કહેવાતાં સુખા ખરી રીતે સુખા નથી, પણ સુખાના માત્ર આભાસ જ છે અને તેથી તેમાં જીવાત્માની તૃપ્તિ થતી નથી. વસ્તુસ્થિતિ જ્યારે આવી છે અને તેનુ મને જ્યારે સત્ય જ્ઞાન થયું છે, ત્યારે એ નાશવ’ત, ક્ષણિક અને અ ંતે દુ:ખદાયી સુખાને વાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy