________________
આચાર્ય શ્રી હીરવિજયસૂરિ
૧૪૭
હતા અને એ શુદ્ધ અને નિર્મળ પ્રેમના ફળરૂપે તેમને ત્રણ પુત્રા અને ત્રણ પુત્રીઓ અનુક્રમે થયાં હતાં. ત્યારબાદ કેટલેક સમય નિત્યા પછી કુરાશાહને પોતાની પત્તી નાથીથી ચેાથા પુત્રરત હીરવિજયસૂરિની પ્રાપ્તિ થઇ. તેમના જન્મ વિક્રમ સંવત્ ૧૫૮૩ ( ઇ. સ. ૧૫૨૬-૨૭ ) માં માશિષ શુદ્ઘિ હું ને સમવારે થયે હતા. હીરવિજયમાં ખાલ્યાવસ્થાથી જ ઉત્તમ ગુણા અને લક્ષણેાના વાસ થયેલા હતા. તેમણે પોતાની દશ-બાર વર્ષની અવસ્થા થઈ, તે પહેલાં વ્યાવહારિક વિષયના જરૂર જેટલા અભ્યાસ કરી લીધા હતા અને તે ઉપરાંત એક વિદ્વાન અને શાંત પ્રકૃતિના મુનિ પાસે રહીને ધાર્મિક જ્ઞાન પણુ મેળવી લીધુ હતું. જે જે મહાપુરૂષા આ અવનીતલ ઉપર થઇ ગયા છે, તે સર્વે સ ંસારની માયાજાળને વિષમ પ્રકારની ગણીને તેનાથી દૂર રહેવાનું જ પસંદ કરીને પ્રાય: વૈરાગ્યવૃત્તિને ધારણ કરનારા હોય છે. મુનિના સહવાસ અને ધાર્મિક જ્ઞાનના સેવનથી હીરવિજયનું મન પણ સંસાર ઉપરથી ઉડી ગયું હતુ અને વૈરાગ્ય તરફ ખેંચાવા લાગ્યુ હતુ અને તેથી તે વ્યાવ હારિક કાર્યોમાં રસપૂર્વક ભાગ લેતા નહેાતા. જ્યારે હીરવિજયનુ વય તેર વર્ષનું થયું, ત્યારે તેમનાં માતાપિતાના સ્વર્ગવાસ થયા. હીરવિજયને માતા-પિતા ઉપર બહુજ ભક્તિભાવ હતા અને તેથી તેમનાં મૃત્યુથી તેના હૃદય ઉપર સચ્ચાટ અસર થઇ અને તેનુ ચિત્ત વિશેષ ઉદાસિન વૃત્તિને ધારણ કરતુ ગયુ. કેટલાક સમય વિદ્યા માદ હીરવિજય પાતાની વ્હેનને મળવાને માટે પાટણ ગયા. પાટણમાં રહેતી તેમની મ્હેનનું નામ વિમળા હતું. વિમળા બહુજ સદ્ગુણી અને સુશીલા હતી એને તેથી તેણે પ તાના ભાઇને આવેલા જાણી તેને પ્રેમથી વધાવી લીધે અને તેના ઉદાસિન ચિત્તને શાંત કરવાના પ્રયાસ કરવા લાગી; પરંતુ એથી હીરવિજયના મન ઉપર કશી અસર થવા પામી નહિં. આ સમયે પાટણમાં શ્રી વિજયદાનસૂરિ નામક જૈનાચાર્ય પેાતાની પવિત્ર અને હૃદયંગમ ઉપદેશવાણીથી બચજીવાને પ્રમેાધી રહ્યા હતા. આ માચાયૅ ઘણા જ પ્રતાપી અને વિદ્વાન હતા અને તેથી તેમની સુકીર્તિ ગુજરાત, રાજસ્થાન, કચ્છ વગેરે દેશેામાં પ્રસરી રહેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org