________________
૧૪૬
ભાગ્યવિધાયક ભામાશા. પછી ઘણું જૈનાચાર્યો, ઘણાં જૈન વિદ્વાનો, ઘણું જૈન રાજાઓ અને ઘણું જૈન મંત્રીઓ થઈ ગયા છે કે જેમણે માત્ર પોતાના ધર્મ કે સમાજનું જ નહિ; કિન્તુ સમસ્ત દેશનું અને સમસ્ત માનવસમાજનું હિત કરવામાં અગ્ર ભાગ લીધો હતો. અત્રે અમે શ્રી હીરવિજયસૂરિ કે જેઓ સમર્થ વિદ્વાન્ અને મહાન પ્રભાવિક જૈનાચાર્ય હતા, તેમનાં પરોપકારી અને નિઃસ્વાથી જીવનને વાંચક બંધુઓને પરિચય કરાવવાને માટે પ્રવૃત્તિ કરેલી છે. આઈનઈ-અકબરીના બીજા ભાગનું ૩૦ મું પ્રકરણ “તે કાળના વિદ્વાન પુરૂષે સંબંધી છે, તેમાં કેટલાક મહાપુરૂની નામાવલી ગોઠવેલી છે. આ નામાવલીનું ૧૬ મું નામ હીરવિજય સૂરિનું છે. આ હીરવિજય સૂરિ તે સમયના એક સમર્થ આચાર્ય હતા અને તેમના સદુપદેશને પ્રભાવ મેગલ સનેહશાહ અકબરના ચારિત્ર ઉપર એટલે સચ્ચેટ પડેલો હતો કે તેમને પિતાના ગુરૂ તરીકે ગણેલા હતા. એક વિજાતીય અને વિધમી બાદશાહ પિતાના ગુરૂ તરીકે જૈનાચાર્યને માને અને તદનુસાર તેમનું માન સાચવે, એ બનાવ પ્રત્યેક જૈનને અભિમાન લેવા જે છે એટલું જ નહિ, પણ તેથી તે જૈનાચાર્ય કેવા અને કેટલા બધા સમર્થ વિદ્વાન અને વિશ્વના ભેદ તથા તેના જ્ઞાતા હોવા જોઈએ, એ પણ આપણે સારી રીતે જાણી શકીએ તેમ છે. શનેહશાહ અકબરનું પ્રાથમિક જીવન બહુ વખાણવા લાયક નહોતું, એ તેની કેટલેક અંશે કુરતા અને વિષય-લેલુપતાથી સાબિત થાય છે, પરંતુ જ્યારથી તેને શ્રી હીરવિજયસૂરિને સમાગમ થયું હતું, ત્યારથી તેને જીવનમાં ઘણું મહત્વનો ફેરફાર થઈ ગયું હતું, એ ઈતિહાસના વાંચનથી જાણી શકાય તેમ છે.
સુપ્રસિદ્ધ ઓશવાળ વંશમાં હીરવિજય સૂરિને જન્મ થયે હતું. ગુજરાતમાં આવેલા પ્રહૂલાદ પાટણ (પાલણપુર) માં કંરાશાહ નામે એક જૈનધમી વણિક રહેતા હતા. આ કંરાશાહને નાથી નામે સ્ત્રી હતી. કંરાશાહ અને નાથી ઉભય પતિ-પલી પવિત્ર મનનાં, ઉમદા વિચારનાં, સશુણી, પરેપકારી, દયાળુ અને ધર્મ પ્રત્યે પ્રીતિવાળાં હતાં. વિશેષમાં આ દંપતી વચ્ચે ગાઢ પ્રેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org