SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય શ્રી હીરવિજયસૂરિ પ્રકરણ ૧૮ મું. આચાર્ય શ્રી હીરવિજયસૂરિ "Lives of great men all remind us We can make our lives sublime, And, departing, leave behind us Footprints on the sands of time. " Jain Education International —Longfellow. મહાપુરૂષના જીવનનું વાંચન અને તેના અભ્યાસ કરવાથી સામાન્ય મનુષ્યવર્ગને પોતાના જીવનના નિશ્ચયાને નક્કી કરવાનુ અત્યંત સરસથઇ પડે છે, આ કારણથીજ વિવેકી વિદ્યાના પૂર્વે થઈ ગયેલા મહાપુરૂષાના જીવન ઇતિહાસને આલેખી તેને જનસમાજ સન્મુખ મૂકવાનું પસદ કરે છે. પ્રાચીન સમયમાં જે જે મહાન વ્યક્તિએ થઇ ગઇ છે, તે સર્વના સંપૂર્ણ અને સર્વથા વિશ્વાસપાત્ર ઇતિહાસ હાલના સમયમાં મળતા નથી, એ જો કે અસત્ય તા નથી; તા પણ તેવી ઉત્તમ અને ચારિત્રસ પન્ન વ્યકિતઓના જેટલા ઇતિહાસ ઉપલબ્ધ થાય તેટલાને આલેખવાની ફરજ પ્રત્યેક સમાજના વિદ્વાના ઉપર અને તેને પ્રગટ કરવાની ફરજ શ્રીમતે ઉપર રહેલી છે. હિન્દુસ્થાન દેશમાં ઘણાં ધર્મો અને ઘણી જાતિએ લાંબા કાળથી અસ્તિત્ત્વ ધરાવતાં આવે છે અને તેમાં ધણી મહાન વ્યક્તિએ થઇ ગઇ છે, એ આપણે જાણીએ છીએ. દરેક મહાનુભાવ વ્યક્તિએ સમયને અનુલક્ષી ધર્મ, સમાજ કે દેશનુ કલ્યાણ કરવામાં તનતાડ પ્રયાસા કરેલાં છે, એ પણ આપણે જાણીએ છીએ; પરંતુ જૈન ધર્મ કિવા જૈન સમાજમાં જે જે મહાન્ મનુષ્યા થઇ ગયાં છે તે વિષે જનસમાજની દ્રષ્ટિએ અન્ય ધર્મનાં મહાન મનુષ્યા કરતાં ઘણુંજ ઘેાડુ' જાણવામાં આવ્યું છે, ભગવાન મહાવીરને વમાનમાં જૈનશાસનના નાયક ગણવામાં આવતાં હાવાથી તેમના પહેલાના ઇતિહાસને આપણે બાજુએ રાખીએ; તે પણુ ભગવાન્ મહાવીર ૧૯ ૧૪૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy