________________
ભાગ્યવિધાયક ભામાશાહ,
દેતા હે તે, તમને કેણ ઠબકે આપે છે? પણ કુસુમ બહેન! તમે તે હવે સાવ નિર્લજજ થઈ ગયા છે હે? કર્મસિંહ સાથે તમારે તો હજુ સગપણ સંબંધ જ થયો છે, એટલામાં દિવાના બની ગયા છે કે શું ? અમે જે કે પરણેલા છીએ, તે પણ પતિ પાછળ તમારી જેમ ગાંડા થઈને ફરતા નથી. હવે તે તમારા લગ્ન થાય તે જ સારૂં; તમારા ભાઈને આજેજ હું તે વિષે આગ્રહ કરીશ.” અનેરમા એમ કહીને હસવા લાગી.
ભાભી !” કસમે કૃત્રિમ કોધપૂર્વક કહ્યું. “તમને તે બધી બાબતમાં બીજાની મશ્કરી કરવાનું જ આવડે છે, પરંતુ પિતે કેવા શાણી સીતા છે, તેને તે કાંઈ વિચાર જ કરતા નથી. તમે પણ કયાં મારામાંથી જાઓ એવા ભેળા છો?”
“અમે ગમે તેવા છીએ, તે અમારું મન જાણે છે, પરંતુ તમારાથી તે સારા, એ ચેકસ માનજો.” એમ કહી મનેરમા કુસુમને ચુંટી ખણવા લાગી.
કસુમ સીત્કાર કરતી જરા દૂર ખસી ગઈ અને કાંઈક કહેવા જતી હતી એટલામાં કૃષ્ણલાલ આવી પહોંચે. તેણે આવતાંવેંતજ પૂછયું. “શી વાતો કરે છે, કુસુમ !”
કસમે કાંઈ જવાબ આપે નહિ એટલે મને રમાએ હસતાં હસતાં કહ્યું. વાત તો એ જ છે કે હવે કુસુમ બહેનનાં લગ્ન કયારે
કરશે?”
કુસુમ શરમથી નીચું જોઈ ગઈ અને મનેરમાને બળપૂર્વક ખેંચીને ત્યાંથી દૂરના ઓરડામાં લઈ ગઈ. કૃણલાલ તેમનું આ નાટક જોઈને હસતે હસતે પોતાના ઓરડામાં ચાલ્યા ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org