________________
૧૪ર
ભાગ્યવિધાયક ભામાશાહ. આવા કટોકટીના સમયે નવિન ખબર હોવાનું સ્વાભાવિક છે. પરંતુ તમારી તબિયતને હવે કેમ છે!” કુમાર અમરસિંહે સામો સવાલ કર્યો.
મારી તબીયત હવે સુધરતી જાય છે અને મને આશા છે કે એકાદ અઠવાડીયામાં તે તદન સુધરી જશે.” કર્મસિંહે ઉત્તર આવ્યા.
બહુ સારૂ; તમારી તબિયત સુધરતી જાણી અમે બહુ ખુશી થયા છીએ અને ભગવાન એકલિંગજીને પ્રાર્થના કરીએ છીએ કે તમને તુરત આરામ આવી જાય.” રણવીરસિંહે કહ્યું.
રણવીરસિંહજી . તમારી સર્વની શુભેચ્છા માટે હું તમારે આભાર માનું છું.”કર્મસિંહે કૃતજ્ઞતા દર્શાવતાં કહ્યું.
એમાં આભાર માનવાની કશી પણ અગત્ય નથી, કર્મ સિંહ!” રણવીરસિંહે કહ્યું.
આભાર માનવાની અગત્ય ન હોય તે ભલે, પરંતુ યુદ્ધ સંબંધી કાંઈ ખબર મળી છે કે નહિ?” કર્મસિંહે પૂછયું.
“ નવી નવી ખબરો તે ઘડીએ ઘડીયે મળતી રહે છે, પરંતુ હમણાં જ એક ભીલ ખબર લાવ્યા છે, તે જરા ચિંતાજનક છે. આ વખતની તેમની હારથી મેગલે એટલા બધા ખીજવાઈ ગયા છે કે તેઓ એક મોટું સન્મ લઈને ચપ્પન ઉપર પુન: ચડી આવવાની તૈયારી કરે છે અને તેથી મહારાણું વગેરેને એ મત છે કે આપણે આ સ્થળને એકદમ ત્યાગ કરવે; પરંતુ તમારી તબી યત બરાબર સુધરી હોય, તેજ આપણે આજકાલ જઈ શકીએ તેમ છીએ.” કૃષ્ણલાલે ઉત્તર આપે.
આ સ્થળને ત્યાગ કરવાનું નકકી થઈ ગયું હોય તે તમારે કેઈએ મારી ચિંતા કરવાનું કશું પણ પ્રજન નથી, કેમકે મારી તબિયત છે કે તદન સુધરી નથી; તે પણ હું તમારી સાથે જ્યાં જાએ ત્યાં આવવાને તૈયાર જ છું. મહારાણાને ખબર આપ કે મારી તબિયત સુધરતાં સુધી રાહ જોવાની કાંઈ પણ અગત્ય નથી.” કર્મસિંહે દઢતાથી કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org