SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસિંહની માંદગી. કર્મસિંહે ઉત્તર આપે. “કુસુમ ! ગયા બે દિવસમાં તમારા પિતાશ્રી તથા તમારા બંધુ વિગેરેની હાજરી મારી પાસે કાયમની હતી એટલે તમે તેમની લજજાના કારણથી અહીં ન આવી શકે, એ સર્વથા સ્વાભાવિક જ હતું અને તેથી તમારે તે માટે ક્ષમા માગવાની અગત્ય નથી. તમારા હૃદયમાં મારા માટે જે પ્રેમ રહે છે, તેને હું સારી રીતે જાણું છું અને તેથી તમારી ગેરહાજરીથી તેમાં ન્યુનતા આવતી હોય, એમ હું માનતે નથી.” તમારી એ માન્યતા તમારા ઉદાર સ્વભાવની સાક્ષી પુરે છે; પરંતુ મને તે હું તમારી પાસે ન આવી શકી, એ માટે બહુ જ દીલગીરી થાય છે અને તેથી તમે મને “હું તને માફ કરૂં છું” એમ જ્યાં સુધી કહેશે નહિ, ત્યાં સુધી મારા હૃદયને ભાર એ છે થશે નહિ.” કુસુમે વિનંતિભર્યા અવાજે કહ્યું. કસુમ ! મારા એ શબ્દથી જ જે તમારી દિલગીરી દર થાય તેમ હોય, તે મને તેમ કહેવાને કશી પણ હરકત નથી. હું તને માફ કરું છું, મારી કુસુમ પછી છે કાંઈ?” કર્મસિંહે તેને માફી આપતાં પૂછ્યું. બસ, એજ મને જોઈતું હતું; મારા જીવને હવે શાંતિ થશે અને હૃદય હલકું થશે. પ્રારા કર્મસિંહ ! જીવનના દેવતા! શરીર, મન અને આત્માના નાયક! ખરેખર એ .” કુસુમ આગળ બોલવા જતી હતી, પરંતુ એટલામાં એરડાના દ્વારને ખખડતુ સાંભળી તે ચુપ થઈને દ્વાર તરફ જોઈ રહી. હેન ! કર્મસિંહની તબિયત કેમ છે? કુમાર અમરસિંહ તથા રણવીરસિંહ તેમની તબિયતની ખબર પૂછવા આવ્યા છે. ” એરડાની બહારથી કૃષ્ણલાલને અવાજ આવ્યો. ભાઈ ! અંદર આવે.” એમ કહી કુસુમ એારડાના બીજા દ્વારથી એકદમ અન્યત્ર ચાલી ગઈ. કુમાર અમરસિંહ, રણવીરસિંહ તથા કૃષ્ણલાલ ત્રણે એરડાની અંદર આવ્યા. તેમને આવતાં જોઈને કર્મસિંહે ઘટિત આવકાર આપે. ત્રણે જણ ગ્ય સ્થળે બેઠા, તે પછી કર્મસિંહે પુછયું. “કેમ કૃષ્ણલાલ! કાંઈ નવિન ખબર છે?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy