________________
૧૪૦
ભાગ્યવિધાયક ભામાશાહ. મને મારી સાથે પ્રેમસંભાષણ કરતાં અટકાવી કર્તવ્યની સૂચના કરી હતી, તે માટે તમે મને એ પ્રશ્ન પૂછો છો ને ?”
કુસુમ !” કર્મસિંહે પથારીમાંથી ઉઠીને બેસતાં કહ્યું. “મેં તમને એ પ્રશ્ન માત્ર તમારી મીઠી મશ્કરી કરવા ખાતર જ પૂછ હતે; તેમ છતાં જે તમને એથી વિરૂદ્ધ અસર થઈ હોય તે હું તે માટે દીલગીર છું અને મારા બોલેલા શબ્દ પાછા ખેંચી લઉં છું.”
“મને તમારા પ્રશ્નથી જરા પણ વિરૂદ્ધ અસર થઈ નથી, પરંતુ મેં એ સમયે વાપરેલા ડહાપણ માટે મને અત્યારે સહેજ દીલગીરી અને ખિન્નતા થતી હોવાથી તમને એમ જણાયું હશે. જવાદે એ વાતને, કેમકે એવી અર્થહીન વાત કરવાને અત્યારે પ્રસંગ તેમજ સમય નથી. કર્મસિંહ! તમે પથારીમાં શા માટે બેઠા છે? બેસવાથી તમને શ્રમ પડશે; માટે સુઈ જાઓ અને બની શકે તે નિદ્રા પણ લે, તમારા મસ્તકને દબાવતી અહીં બેઠી છું, કસુમે એમ કહી કમસિંહને પથારીમાં તેની ઈચ્છા નહિ હેવા છતાં પણ સુઈ જવાને આગ્રહ કર્યો.
કર્મસિંહે કસુમની ઇચ્છાને માન આપી પથારીમાં સુઈને કહ્યું. “કુસુમ ! મારી તબિયત હવે સુધારા ઉપર આવતી જાય છે એટલે ચિંતા કરવાનું કાંઈ પણ કારણ નથી. વળી તમારા અત્યારના આગમનથી મારા જીવને એટલો બધો કરાર વળે છે કે મારી તબિયત હવે થોડા જ સમયમાં તદ્દન સુધરી જશે, એમ મને જણાય છે.”
“પરમાત્મા મહાવીરની કૃપાથી તમને સુરતમાં આરામ આવી જ જશે, પરંતુ મારો જીવ એટલે બધે ઉદાસીમાં હતું કે ગયા બે દિવસમાં મેં અન્નને એક દાણો પણ મારા મુખમાં મૂકે નથી. અત્યારે તમારી તબિયત સુધારા ઉપર જોઈને મને આનંદ થાય છે. ગયા બે દિવસ મેં કેવી રીતે પસાર કર્યા છે, એ મારું મન જાણે છે, પરંતુ કર્મસિંહ ! તે દરમ્યાન હું તમારી પાસે તબિયત ની ખબર પૂછવા લજજાના કારણથી નથી આવી શકી, એ માટે મને હજુ પણ ખેદ થાય છે, શું તમે મને એ માટે માફ નહિ કરે?” કસમે પિતાના હૃદયની વાત કહીને આવતાથી પૂછયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org