________________
૧૮
ભાગ્યવિધાયક ભામાશાહ.
લવ હોય નહિ? એવી તે તેના મુખમાંથી નીચે મુજબ શબ્દો નિકળ્યા –
“ મહારા પ્રતાપસિંહને જય, મેવાડના સૂર્યને ઉદય અને મંત્રીશ્વર ભામાશાહની ઉદારતા ! કેવા મધુર એ શબ્દ છે ? મેવાડને જય, એ શબ્દ હદયને કેવા પ્રિય લાગે છે! કહે છે કે આ વખતના યુદ્ધમાં મહારાણુએ મોગલ સરદાર ફરિદખાને જાનથી મારી વિજય મેળવ્યો છે અને મંત્રીશ્વર ભામાશાહે મહારાષ્ટ્રને ચંદ્રસિંહની તલવારના ભેગ થતાં બચાવી લઈ મેવાડના ભાગ્યને ઉજવળ બનાવ્યું છે ! આની વિજ્યી યુદ્ધમાં મારાથી કોઈપણ પરા. કમ ન થઈ શકય, એ કેવી દીલગીરીની વાત કહેવાય ? ઠીક, પણ, મારાથી યુદ્ધમાં પરાક્રમ શાય કે ન થાય, એની મારે ચિંતા કરવી નિરૂપયેગી છે. ઉપગી માત્ર એટલું જ છે કે ગમે તે ઉપાયે મેવાડનો વિજય થવા જોઈએ. અને તેની સ્વતંત્રતા સચવાઈ રહેવી જોઈએ. શાસનદે! મારી આ પ્રાર્થના સાંભળશો ?.....”
ક્ષણવાર તેની વાચા બંધ રહ્યા પછી તેના મુખમાંથી પુન: વાગ્ધારા નીકળવા લાગી:–
અને કુસુમ, પ્યારી કુસમ,એને હું કેમ વિસરી શકું? મારા હદયની દેવીને વિસારી દઉં, એવો હું નિધુર છું? નહિ, જરા પણ નહિ; પરંતુ તે મારાથી કાંઈક બેદરકાર રહેતી કેમ જણાય છે? તેને પ્રેમ એમાં તે મને શંકા લેવાનું કશું કારણ આજ સુધી મળ્યું નથી. ત્યારે શું તે અભિમાનિની છે? હા, તેના વર્ત. નથી કાંઈક એમ જણાય છે ખરું, પરંતુ એમ માનવાનું કારણ છે; તે મેવાડના મંત્રીશ્વર ભામાશાહની પુત્રી છે, જ્યારે હું એક સામાન્ય ન્ય યુવક છે. વળી આજ બે દિવસ થયા છતાં તે મારી તબિયતની ખબર પુછવા પણ આવી નથી, એ તેનું અભિમાન નહિં તે બીજું શું? ભલે તેને અભિમાન રાખવા દે; મને તેના અભિમાનની શી પરવા છે? હું તે તેને મારા ખરા હૃદયથી ચાહું છું અને ભવિષ્યમાં પણ તેવા જ પ્રેમમી ચાહીશ, એ નિશ્ચિત છે. ઠીક, જવા દો એ વાતને, પરંતુ મારા કપાળને કોણ દબાવી રહ્યું છે? કે મૃદુતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org