SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસિહની માંદગી. ૧૩૭ હવે વખત ગુમાવે એ ઠીક નથી, માટે જેમ ત્વરાથી જવાય તેમ જા. મહારાણું તને યાદ કરશે તે અમે તને ખબર આપશું. યમુનાએ કુસુમને જવાની ઉતાવળ કરાવતાં કમળ પ્રતિ જોઈને કહ્યું. “ચાલે, આપણે હવે રૂકિમણ પાસે જઈએ.” કુસુમ પાસેના પોતાના મકાન તરફ ગઈ અને તે ગયા પછી કમળા તથા યમુના વાત કરતાં રુકિમણી પાસે જવાને આગળ ચાલ્યાં. સુમ અનેક પ્રકારના વિચાર કરતી કરતી પિતાના મકાને પહોંચી અને પિતાની ભાભીને કંઇ પણ કહ્યા વિના ગુપચુપ કર્મસિંહ સુ હતું, તે ઓરડામાં ચાલી ગઈ. સુમે એરડામાં પ્રવેશ કરીને દ્વારને જરા બંધ કર્યું અને પછી જોયું તે કર્મસિંહ નીચે જમીન ઉપર બીછાવેલી સાદી પથારીમાં સુતેલે હતે. ઓરડામાં તેના સિવાય બીજું કંઈ નહોતું અને તેથી કુસુમ લજજાને ત્યાગ કરીને તેની પથારી પાસે જઈને બેઠી. કર્મસિંહને તલવારના બે ત્રણ ઘા વાગેલા હોવાથી તેની સ્થિતિ પ્રથમ તે ભયંકર હતી, પરંતુ વૈદ્યની તાત્કાલિક અને કાળજીયુક્ત સારવારથી તેની સ્થિતિમાં એક રાત્રિમાંજ સુધારો થયો હતો. ઘાની તીવ્ર પીડાથી કર્મસિંહને તાવ પાછું આવ્યું હતું, પરંતુ વૈધે આપેલી દવાથી તેનું બહુ જોર નહોતું અને અત્યારે દવાની અસરથી તે નિદ્રામાં પડેલો હતે. ખીલતી વયના નવજુવાન કર્મસિંહનું સુંદર મુખ, તેની અર્ધ મિંચાયેલી આંખે, તેના મસ્તકના કાળા વાળ, તેના દીર્ઘ બાહ, તેના ઉજજવલ પગ અને તેનું પાતળું કસાયેલું શરીર, એ સર્વને જોતાં કુસુમના હૃદયમાં પિતાના ભાવિ પતિને માટે માન અને સ્નેહ ઉત્પન્ન થયાં. તેણે અંતરના પ્રેમથી કર્મસિંહના વિસ્તૃત કપાળ ઉપર પિતાને મૃદુ અને કેમળ કર ધીમેથી મૂકો અને તેના વતી તેના મસ્તકને દબાવવા લાગી. કુસુમના કોમળ કરસ્પર્શથી કર્મસિંહની નિદ્રા દવાની અસરને લઈ ભંગ તો થઈ નહીં પરંતુ તેની જ્ઞાનેન્દ્રિયને જોઈતી અસર થઈ અને તેથી અર્ધ જાગૃત અને અર્ધ નિદ્રિત અવસ્થામાં કેમ જાણે તે ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy