________________
૧૩૬
ભાગ્યવિધાયક ભામાશાહ પણ ત્યાં પિતાજી, ભાઈ વગેરે બેઠા હશે, તેનું કેમ ? તેમની હાજરીમાં મારાથી ત્યાં જઈ શકાય ખરૂં?” કુરુમે પૂછ્યું.
“વૈદ્ય ગયા પછી મંત્રીશ્વર, કૃષ્ણલાલ વગેરે મહારાણુની પાસે મહત્વની મસલત કરવાને હમણાં જ ગયા છે એટલે અત્યારે કર્મસિંહ ઓરડામાં એકલા જ સુતેલા છે અને તેથી તેમની પાસે જવાની આ સારી તકનો લાભ લેવાને અમે તને આગ્રહ કરીએ છીએ.” યમુનાએ કહ્યું.
મારો આગ્રહ પણ એ જ છે કે તારે અત્યારે કર્મસિંહ પાસે જવું અને તેની ગ્ય સેવા કરીને તેને દુઃખી હૃદયને શાંત કરવું. ” રાજકુમારીએ યમુનાના મતને મળતાં થઈને કહ્યું.
ભલે, તમારા ઉભયના આગ્રહથી હું તેમની પાસે જઈશ, પરંતુ તેથી રાણાની આજ્ઞાને ભંગ તે થતું નથીને ? કુસુમે જીજ્ઞાસાથી પૂછ્યું.
“ કુસુમ ” યમુનાએ ગંભીરતાપૂર્વક કહ્યું. “ અત્યારે તારે કર્મસિંહ પાસે જવું છે, તે પ્રેમની નિરૂપની વાત કરવાને નહિ, પણ તેમની આવશ્યક વખતે સેવા કરવાને માટે જ જવું છે અને તેથી મહારાણાની આજ્ઞાને ભંગ થતું હોય, એવી મારી માન્યતા નથી. કેમ કમળાબહેન, તમે શું માનો છો?”
“મારી માન્યતા પણ એવી જ છે અને તેથીજ અમે તને તેમની પાસે જવાને આગ્રહ કરીએ છીએ. હું જાણું છું કે તને ત્યાં જવામાં કેટલેક અંશે શરમ પણ આડે આવતી હશે અને એમ થવું એ આપણું જાતિને માટે સ્વાભાવિક પણ છે, પરંતુ આવા વખતે શરમને ત્યાગ કરીને કર્મસિંહની પાસે જવાની અગત્ય છે, કેમકે તારી હાજરીથી તેમનું ઘણું દુ:ખ ઓછું થઈ જશે.” રાજકુમારીએ વિશેષ આગ્રહ કરીને કહ્યું.
ઠીક, જ્યારે તમારી બન્નેની એવી ઈચ્છા છે, ત્યારે હું ત્યાં જઉં છું, પરંતુ મહારાણું મને યાદ કરે તે આ વાતની તેમને ખબર નહિ પાડતાં બોલાવવાને દાસીને મોકલજે.” કુસુમ એમ કહીને તેમની સામે જોઈ રહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org