SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ભાગ્યવિધાયક ભામાશાહ. મહવને પામશે. ભગવાન એકલિંગજીની કૃપાથી જે આપણે મેવાડને પુનરૂદ્ધાર કરી શકીશું, તે તેને બધો યશ, તમારા આજના સમયેચિત વર્તનથી તમને જ મળવો જોઈએ, એવી મારી ઈચ્છા છે.” મહારાણા!” ભામાશાહે નમ્રતાથી કહ્યું. “મેવાડના પુનરાદ્ધારને યશ મને જ મળવો જોઈએ એવી આપની ઈચ્છા જાણે હું આપને અહેસાનમંદ થયે છું પરંતુ મેં મારી ફરજ કરતાં કઈ વિશેષ મહત્વનું કાર્ય કર્યું નથી. સ્વામીની સેવા અને તેને ખરા વખતે સહાય કરવી, એ સેવકનું કર્તવ્ય જ છે. અને તેથી આપને મેં જે કિંચિત્ સહાય કરી છે, તે માટે મારી પ્રશંસા કરવાની શી અગત્ય છે ?” સેવકના ખરા કર્તવ્યની કદર કરવી, એ સ્વામીની ફરજને હું સારી રીતે જાણું છું અને તેથી જ મેં તમારી એગ્ય પ્રશંસા કરેલી છે, પરંતુ હાલ તે વિષે વધુ વાતચિત કરવાને આપણને સમય નથી. આ વખતે જે કે આપણું જીત થઈ છે, તે પણ એથી આપણું કાર્ય સરલ થાય તેમ નથી. આ યુદ્ધમાં આપણા ઘણા સિનિકે માર્યા ગયા છે અને કેટલાક ઘાયલ પણ થયેલા છે, માટે તમે ઘાયલ થયેલા સૈનિકોની દવાદારૂ કરાવવાની ગેાઠવણ કરો અને હં તથા કુમાર અમરસિંહ નગરમાં જઈએ છીએ. વળી રણવીરસિંહ ખબર લાવ્યું છે કે કર્મસિંહ સખત રીતે ઘાયલ થયેલ છે અને તેને નગરમાં લઈ જવામાં આવ્યા છે, તેથી તમે ઘાયલ થયેલા સૈનિકો માટે યોગ્ય વ્યવસ્થા કરી તુરત જ આવજે.” પ્રતાપસિંહ એ પ્રમાણે કહીને કુમાર અમરસિંહ સાથે ત્યાંથી ચાલ્યા ગયે અને ભામાશાહ રણવીરસિંહને લઈ ઘાયલ થયેલા સૈનિકોની વ્યવસ્થા કરવામાં શું થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy