________________
- ક્ષાત્રવટ.
૧૩૭ અને તેના મસ્તક ઉપર પોતાની તલવારને સખત ફટકે લગાવ્યું ચંદ્રસિંહના આ ફટકાથી મેવાડને સૂર્ય તુરતજ અસ્ત પામી જાત, પરંતુ મેવાડને ભાગ્યરવિ ભામાશાહ ભાગ્યગે એકદમ પિતાને ઘોડે દેખાવતે ત્યાં આવી પહોંચે અને ચંદ્રસિંહની તલવારના ઘાને પોતાની તલવાર ઉપર ઝીલી લીધે. ચંદ્રની તલવાર ભામા શાહની તલવાર સાથે અથડાતાં ભાંગી ગઈ અને ભાંગેલ કટકે ખણખણાટ કરતા દુર જઈને પડયે. આ દરમ્યાન પ્રતાપસિંહ કરિ. દખાંની છાતીમાંથી પિતાને ભાલો પાછો ખેંચી કહાડીને સાવધ થઈ ગયો હતો અને તે તરતજ ચંદ્રસિંહ ઉપર ધસી ગયે અને તેના ઘેડાને એવા તે જેરથી ભાલો માર્યો કે તે પોતાને જીવ લઈને યુદ્ધ ભૂમિમાંથી પલાયન થઈ ગયો. મેગલ સૈનિકે કે જેઓ અત્યાર સુધી સંપૂર્ણ બહાદુરીથી લડતા હતા, તેઓ પોતાના સેનાપતિના મૃત્યુના સમાચાર સાંભળી તથા ઉપસેનાપતિ ચંદ્રસિંહની પલાયનની વાત સાંભળી નિરાશ થઈ ગયા અને તેથી તેમને યુદ્ધને જુસ્સો નરમ પડી ગયે. યુદ્ધને જુસ્સો નરમ પડતાં તેમની હરોલમાં ભંગાણું પડવા લાગ્યું અને ઘણુ ખરા તે પિતાને જીવ બચાવવાને માટે નાશી પણ ગયા. રાજપૂત અને ભીલેએ આ તકને લાભ લઈ નાશી જતા મોગલ સૈનિકે ઉપર તુટી પડ્યા અને ઘણાને મૃત્યુને શરણ કરી દીધા. ક્ષણવારમાં યુદ્ધભૂમિ ઉપર એક પણ મેગલ સૈનિક જેવામાં નહિ આવતાં પિતાના સૈનિકને પાછા ફરવાની આજ્ઞા આપી પ્રતાપસિંહ પિતાને જીવના જોખમમાંથી બચાવનાર ભામાશાહ પાસે આવી પહોંચ્યો.
તેણે આવતાં વેંત જ કહ્યું. “મંત્રીશ્વર ! તમે વખતસર આવીને મને ચંદ્રસિંહની તલવારને ભંગ થતે બચાવી લીધું છે, તે માટે હું તમારો ઉપકાર માનું તે તે અઘટિત ગણાશે નહિ. આજથી કેટલાક વર્ષો પૂર્વે આશાશાહે મારા મહેમ પિતા મહારાણા ઉદયસિંહને બાલ્યાવસ્થામાં આશ્રય આપી તેમનું મૃત્યુના ભયમાંથી રક્ષણ કર્યું હતું, એ વાત સર્વત્ર જાણીતી છે અને આજે તમે મારું રક્ષણ કરીને મેવાડના ભાગ્યવિધાયકનું પદ પ્રાપ્ત કર્યું છે, એ વાત સર્વત્ર જાણીતી થવા સાથે મેવાડના ઈતિહાસમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org