________________
ક્ષાત્રવટ.
૧૩૧ કે થોડાક હજાર રાજપૂત અને ભીલના ગમે તેવા ધસારાથી તેઓ સહેજ પણ આંચકે ખાય તેમ નહોતું. પ્રતાપસિંહ અને ભામાં શાહ એક બાજુ ઉભા ઉભા આ દશ્ય જોતા હતા. તેઓ પોતાના સૈન્યની નબળાઈ તુરતજ સમજી ગયા અને તેથી પિતાપિતાના ઘોડાને એડી મારીને તેઓએ યુદ્ધમાં ઝંપલાવ્યું. પ્રતાપસિંહ સૈનિકો વચ્ચે ઘમ ઘુમતે મેગલ સેનાપતિ કરિદખાં અને ચંદ્રસિંહ જ્યાં ઉભા હતા, ત્યાં આવી પહોંચે. ફરિદખાં તથા ચંદ્રસિંહ સાવધ જ હતા એટલે પિતાના ખરેખર પ્રતિસ્પર્ધિને જોઈ એકદમ તેની સામે ધસી આવ્યા અને પોતાની તલવારને મ્યાન માંથી ખેંચી કહાડી તેની ઉપર તુટી પડયા.
પ્રતાપસિંહે પિતાને બચાવ પિતાના અતિ તેજદાર ભાલાથી કરતાં કરતાં ચંદ્રસિંહ તરફ જોઈને કહ્યું. ચંદ્રસિંહ ! તમે હમણાં એક બાજુ ઉપર ઉભા રહે, કેમકે તમે, ગમે તેમ પણ મારા જાતિબંધુ છે અને તેથી હું મારા બાહુબળને સ્વાદ પ્રથમ જ તમને ચખાડવાને ઈચ્છતું નથી. મને પ્રથમ ફરિદખાં સાથે લડી લેવા દો અને ત્યારપછી તમારી સાથે લડીશ અને તમને પણ બતાવી આપીશ કે પ્રતાપસિંહમાં કેટલું સામર્થ્ય રહેલું છે. ”
ફરિદખાએ પ્રતાપસિંહનું એ કથન સંભાળી લઈને કહ્યું. “ચંદ્રસિંહજી ! તમારા જાતિબંધુ હોવાનો દાવો કરનાર પ્રતાપ સિંહ સત્ય કહે છે માટે તમે હમણાં તે એક બાજુ ઉભા ઉભા અમારા યુદ્ધને જોયા કરો, એજ ઠીક છે. કારણ કે તેથી મેં લીધેલી પ્રતિજ્ઞાને પૂર્ણ કરવાની મને સરલતા થશે.”
પ્રતાપસિંહે પિતાના ઘડાને ગેળ ફેરવતા ફેરવતાં પૂછ્યું. “શી પ્રતિજ્ઞા લીધી છે, ખાંસાહેબ! શું તે કહેવા જેવી નથી ? ”
ફરિદખાએ ગર્વથી જવાબ આપ્યો. “એ પ્રતિજ્ઞા તમને મારે કહેવી જ જોઈએ, રણુજી ! અને તે એ છે કે મારે ગમે તે ભેગે તમને પકડીને શહેનશાહ અકબરની હજુરમાં લઈ જવા છે. આ મારી પ્રતિજ્ઞા.”
પ્રતાપસિહે મૂછ ઉપર હાથ મૂકતાં કહ્યું. “એમ કી ખાંસાહેબ ! પ્રતિજ્ઞા તે અવશ્ય સારી કરી છે, પરંતુ મને પકડો તે ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org