________________
- ક્ષાત્રવટ.
૧૨૯ જ કરવાની છે, ત્યારે હું પણ આપના અભિપ્રાય સાથે મળતો થઉં છું અને તેથી આપની આજ્ઞા મુજબ સર્વ પ્રકારની તૈયારી રાખવાની ગોઠવણ હમણુંજ કરૂં છું.”
એમ કહી ભામાશાહ, રણવીરસિંહને લઈ ત્યાંથી ચાલ્યો ગયે અને પ્રતાપસિંહ તથા અમરસિંહ જૂદા જૂદા વિષયની વાત કરતાં ત્યાં બેસી રહ્યા.
બીજા દિવસને સૂર્યોદય થયે. ભામાશાહે કરેલી ગોઠવણ મુજબ કેટલાક રાજપૂત અને આસપાસના પ્રદેશના વિશ્વાસુ ભીલો ચપન પ્રદેશના ઉપવનમાં એકત્ર થયા હતા. તલવાર અને ભાલાવાળા રાજપૂત સૈનિકો જ્યારે કાંઈક નિરાશ જણાતા હતા, ત્યારે તીરકામઠાંવાળા ભીલે આનંદી દેખાતા હતા. એક બાજુ સલું બરરાજ અને અન્ય સરદારે અને બીજી બાજુ રણવીરસિંહ તથા કર્મસિંહ વગેરે યુદ્ધકાર્ય સંબંધી મસલત ચલાવી રહ્યા હતા. આ વખતે મહારાણા પ્રતાપસિંહ, કુમાર અમરસિંહ તથા મંત્રી શ્વર ભામાશાહ સાથે આવી પહોંચ્યા. સરદારોએ અને સૈનિકે એ તેમને લશ્કરી નિયમે ઘટિત માન આપ્યું. મહારાણુએ પિતાને યુદ્ધને પિષાક પહેરેલો હતો અને કવચ અને ટેપની વચ્ચે માત્ર ઉઘાડા રહેલા મુખની પ્રતિભા અને બે આંખમાંથી છુટતી તેજની ધારા સામા માણસના હૃદયમાં પૂજ્યભાવ અને ભયને એકી સાથે જન્મ આપતી હતી. કુમાર અમરસિંહે પણ લશ્કરી પિોષાક પરિ. ધાન કરેલ હતું તે પણ તેનું સુંદર મુખ અને ચંચળ આંખે તેના અતીવ વિલાસીપણાની સાક્ષી પૂરતાં હતાં. મંત્રીશ્વર ભામાશાહે જે ષિાક પહેરેલ હતું તે પણ યુદ્ધ સમયને જ હતે અને તેથી તેની ભવ્યતા, ગંભીરતા અને દ્રઢતામાં ઓર વૃદ્ધિ થયેલી જણાતી હતી.
ક્ષણવાર રહી પ્રતાપસિંહે પોતાના હાથમાં પકડેલા ભાલાને જમીન ઉપર બરાબર ટેકવીને કહ્યું. “બહાદૂર વીરે! મને કહે, વાને આનંદ થાય છે કે આજે પુન: આપણને આપણું જનની જન્મભૂમિની સ્વતંત્રતાના રક્ષણને માટે શત્રુઓ સાથે યુદ્ધ કરવાને
૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org