________________
૧૨૮
ભાગ્યવિધાયક ભામાશાહ. થતું હશે. ભામાશાહ ઘડા ઉપરથી નીચે ઉતર્યો અને રણવીર સિંહે પણ તેનું અનુકરણ કર્યું. ભામાશાહે ઘોડા ઉપરથી ઉતરીને કુમારને વિચારગ્રસ્ત સ્થિતિમાં જોઈને કહ્યું. “કુમાર! મારા ઉપરના કથનથી જે તમને માઠું લાગ્યું હોય તે માફ કરજે, કેમકે મેં તમને જે કહ્યું છે, તે તમારા હિતની ખાતરજ કહ્યું છે. હવે ચાલે નગરમાં જઈને મહારાણાને શત્રુની હીલચાલની ખબર
આપીએ.”
આગળ ભામાશાહ અને પછવાડે અમરસિંહ અને રણવીર સિંહ, એ પ્રમાણે તેઓ નગર તરફ ચાલ્યા. માર્ગમાં કેઈએ કાંઈ પણ વાત કરી નહિં. થોડી વારમાં તેઓ નગરમાં આવી પહોંચ્યા અને મહારાણા પ્રતાપસિંહને મળ્યા, ભામાશાહ પ્રતાપસિંહને શત્રુની હીલચાલની સવિસ્તર ખબર આપી અને તે સાંભળી લીધા. પછી પ્રતાપસિંહે કહ્યું “મેગેલે આપણને અહીં પણ સુખે બેસવા દે, એ સંભવ નથી અને મારી એ ધારણા તમે આપેલા સમાચારથી આજે સત્ય નીવડી છે, પરંતુ મંત્રીવર! હવે આપ. ણે શું કરવું ?”
ભામાશહે તુરતજ જવાબ આપે. “શું કરવું, એ આપ કયાં નથી જાણતાં ? અત્યારે આપણી પાસે જેમ કેઈ પણ પ્રકા રની યુદ્ધ સામગ્રી નથી, તેમ લડનાર માણસે પણ નથી, એ આપ સારી રીતે જાણે છે અને તેથી મારા અભિપ્રાય પ્રમાણે આપણે આ સ્થળનો ત્યાગ કરી અન્યત્ર ચાલ્યા જવું, એજ આપણું માટે હિતાવહ છે. ”
પ્રતાપસિંહે રોષદર્શક સ્વરથી કહ્યું. “મંત્રીશ્વર! તમારે અભિપ્રાય હાલની આપણી સ્થિતિ જોતાં જે કે અગ્ય તે નથી, તે પણ હું તેને અત્યારે માન્ય રાખી શકીશ નહિ. મારે આ સમયે પણ પુનઃ મારા ક્ષાત્રવટનું દર્શન મેગલોને કરાવવું છે અને તેથી આપણી પાસે જેટલા માણસો છે, તે સર્વને આવતી કાલે લડવાને માટે તૈયાર રાખવાની ગોઠવણ કરે.”
પ્રતાપસિંહનું નિશ્ચયાત્મક કથન સાંભળીને ભામાશાહે તેને કાંઈ પણ પ્રતિવાદ નહિ કરતાં કહ્યું. “જ્યારે આપની ઈચ્છા યુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org