________________
શાત્રવટ.
અને તેથી તમારે સાર્વજનિક લાભની ખાતર બેદરકારીને ત્યાગ કરી કાળજવાન થવાની જરૂર છે.”
અમરસિંહ ઉપર્યુકત વચને સાંભળી શરમથી કેવળ નીચું જોઈ રહ્યો. ભામાશાહને જવાબ દેવાનું તેનામાં સામર્થ્ય રહ્યું નહોતું.
તેને ચૂપ રહેલે જઈને ભામાશાહે આગળ ચલાવ્યું. કુમાર! તમે એમ સમજતા હશે કે હું મહારાણું પ્રતાપસિંહને જ્યેષ્ઠ પુત્ર અને મેવાડને યુવરાજ છું એટલે મને કોણ કહેનાર છે? પરંતુ મને કહેવાની અગત્ય જણાય છે કે જે તમારી એવી માન્યતા હોય, તે તે ઘણું જ ભૂલભરેલી છે. તમે યુવરાજ છે, એ વાતને અમે સ્વીકાર કરીએ છીએ અને તેથી તમારું ઘટિત સન્માન કરવું, એ અમારી ફરજ છે, પરંતુ જો તમે તમારા યુવરાજપદને લાયક ન હો અને તમારા ક્ષાત્રવટ ધર્મને જાણતા ન હો, તો અમે પ્રજાજને તમને માન આપશું ખરા ! તમે રાજવંશમાં જન્મ્યા છે શા માટે ? એટલાજ માટે કે તમારે સર્વગુણસંપન્ન બનીને તથા ક્ષાત્રવટ ધર્મને અનુસરીને પ્રજાનું પાલન અને દેશની સ્વતંત્રતાનું રક્ષણ કરવું અને જો તમે એ પ્રમાણે વર્તે નહિ તે પછી મેવાડ ઉપર તમારો અધિકાર શું કામનો ? યુવરાજ ! તમને મારી આ વાતો અત્યારે તે વિષ સમાન લાગશે, પરંતુ જો તમે એ વાતેના મર્મને સમજશો અને તદનુસાર તમારું વર્તન રાખશે, તે તમને છેવટે એ વાતે અમૃત સમાન લાગશે અને તેજ તમે ભવિષ્યના મેવાડના અધિપતિ થવાને લાયક થશે. છેવટમાં યાદ રાખજો કુ. માર! કે જે તમે તમારા વિલાસી સ્વભાવ ઉપર વિજય મેળવશે નહિ અને તમારા ક્ષાત્રવટ ધર્મનું યથાર્થ રીતે પાલન કરશો નહિ, તે મને ખાતરી છે કે તમે મેવાડની સ્વતંત્રતા ગુમાવી દેશે અને મગલેના દાસત્વને સ્વીકારશે, મા આ વચનો તમારા હૃદય ઉપર બરાબર કોતરો રાખજે, એ ખાસ કરીને મારો આગ્રહ છે.”
કુમાર અમરસિંહ આ બધે વખત અવનત મુખે ઉભેલ હતું. તેની મુખચર્યાથી સમજાતું હતું કે તેના હૃદયમાં પશ્ચાતાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org