SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ભાગ્યવિધાયક ભામાશાહ. પ્રકરણ ૧૬ મું. ક્ષાત્રવટ, “ રહે પ્રજા ધન યત્ન સે જેહ બાંકી તરવાર, સો ફલ કે ન લે સકે, જહાં કટીલી ડાર.” કુમાર અમરસિંહ ચાંડ નગર પ્રતિ નીચી નજરે અને ધીમા પગલે ચાલ્યું જતું હતું. તેના હૃદયમાં આ સમયે તેની પ્રિયતમ રુકિમણીના વિચારે ઘેળાતા હતા. અમરસિંહ પ્રેમી હતુંતે રુકિમણને પોતાના શુદ્ધ હૃદયથી ચાહતે હતું અને તેથી તે તેના મીલનને માટે અત્યાર પહેલાં બહુજ આતુર રહેતા હતા. મેવાડનો પુનરૂદ્ધાર ન થાય ત્યાં સુધી પ્રતાપસિંહે સર્વ ભેગ-વિલાસને પિતે ત્યાગ કર્યો હતો અને પોતાના પરિવારનાં મનુષ્યને અને આત્મીય સરદારને પણ તેને ત્યાગ કરવાની ફરજ પાડેલી હતી અને તેથી પ્રેમી યુગલે એકાંતમાં મળીને પ્રેમચેષ્ટા કરવાનું સાહસ કરી શક્યાં નહોતાં. જો કે અમરસિંહના હૃદયમાં આ વાત ઘણી ખુંચતી હતી; કેમકે તે પ્રેમી અને વિલાસી હતા; તે પણ મહારાણુની ધાકથી તે રુકિમણુને મળવાનું ઉચિત માનતે નહતે. આજે રુકિમણું સાથે તેનું જે મીલન થયેલું હતું, તે અગાઉથી કરી રાખેલા ગુપ્ત સંકેતનું જ આ પરિણામ હતું. અમરસિંહ ચંડ નગર તરફ જતાં જતાં રૂકિમણના સંદર્યના, તેની મીઠી વાણીના અને તેના આકર્ષક વર્તનના જ વિચારે કરતે હોવાથી આસપાસના પ્રદેશનું તેને કશું પણ ભાન નહોતું. એક મસ્ત માણસની જેમ આનંદ-લહરીમાં ઝુલતા ઝુલતો ચાલ્યો જતો હતો. આ સમયે બે ઘડેસ્વારે પિતાના ઘડા જોરથી દોડાવતા કુમારની પાછળ આવતા હતા. ઘડાની ખરીઓને અવાજ નજીક અને નજીક સંભળાતું હતું, પરંતુ પ્રેમસાગરમાં ગોથાં ખાતાં અમરસિંહને તેનું ભાન નહેતું; તે તો જેમને તેમ નીચી નજરે ચાલ્યું જતું હતું. ઉભય ઘ ડેસ્વારે ક્ષણવારમાં અમરસિંહની અત્યંત નજીક આવી પહોંચ્યા અને તે માંહેના એકે કુમારનું નામ લઈને તેને બોલાવ્યું, ત્યારે જ તે ઉભો રહ્યો અને તેમની સામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy