________________
૧૨૦
ભાગ્યવિધાયક ભામાશાહ કુમાર અમરસિંહ ઉપવનની શોભા જેતે જેતે ચાલ્યા આવતે હતે. મહારાણા પ્રતાપસિંહને કુમાર અમરસિંહ અને રાજા રઘુવીરસિંહની કન્યા રૂકિમણી વચ્ચે ગુપ્ત પ્રેમસંબંધ હતે એ કહેવાની આવશ્યકતા અમને જણાતી નથી, કેમકે વાચક મહાશયે ઉપર્યુક્ત સખી મંડલના વાર્તા વિદથી એ વાતને સ્પષ્ટતાથી સમજી શકે તેમ છે. રુકિમણુને પિતા રઘુવીરસિંહ રાણા પ્રતાપને મુખ્ય સહાયક અને મેવાડના એક તાલુકાને રાજા હતા. રાજા ૨ ઘુવીરસિંહ મોગલ સાથેના પહેલા યુદ્ધમાં માર્યો ગયે હતું અને તેની સતી રાણીએ તેની સાથે સહગમન કર્યું હતું, તેથી તેમની કન્યા રૂકિમિણે તે સમયથી મહારાણા પ્રતાપસિંહના આશ્રયે આ વીને રહી હતી. પ્રતાપસિંહ અને રાણી પદ્માવતી તેને પોતાની પુત્રી સમાન ચાહતાં હતાં અને તેની દરેક ઈચ્છાને પૂર્ણ કરતાં હતાં. રુકિમણીની અવસ્થા અત્યારે પંદરેક વર્ષની હતી. તેનું આ લૈકિક સંદર્ય અને તેની મીઠી વાણી, તેને નમ્ર સ્વભાવ અને તેના સ્વાભાવિક ગુણે ઈત્યાદિથી કુમાર અમરસિંહ તેને ચાહતા શીખે હતો અને રુકિમણ પણ કુમારને ચ હતી હતી. આ ઉભય પ્રેમીઓ વચ્ચે ઘણાજ પ્રેમસબંધ હતું, પરંતુ તેઓ મહારાણાની સખ્ત આજ્ઞાથી પરસ્પર ભાગ્યે જ મળી શકતાં હતાં. ઉભયના હદમાં પ્રેમબીજ રોપાયું હતું, પરંતુ એ પ્રેમબીજને પરસ્પર મિલન વિના ફૂટીને વૃક્ષ થવાને પૂરતે અવકાશ હજુ સુધી મને નહોતે. આજ ઉભય પ્રેમીઓને અચાનકમેળાપ થઈ ગયે. કુમાર અમરસિંહ પિતાની હૃદયદેવીને માતાના મંદિરની બહારના ચોતરા ઉપર એકલી બેઠેલી જોઈને હદયના વેગને રોકી નહિ શકવાથી તે તેની સામે આવીને ઉભો રહ્યો. લજજાશીલા રુકિમણી જેનું રાત્રિ-દિવસ ચિંતન કરતી હતી, તેને પિતાની સન્મુખ જોઈને શરમાઈ ગઈ અને ઉંચી આંખ કરીને પિતાનાં હૃદયના અધિષ્ઠાયકને જોવાનું પણ સાહસ કરી શકી નહિ. તેણે મંદિરના દ્વાર તરફ પોતાની દ્રષ્ટિ કરી તે તેને બંધ જોઈને તે આશ્ચર્યને પામી અને હવે શું કરવું, એના ઉંડા વિચારમાં પડી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org