________________
જંગલમાં મંગલ. તારું કહેવું સત્ય છે, રુકિમણું!” રાજકુમારીએ પિતાને અભિપ્રાય આપે. “પરંતુ આપણે અત્યારે જે નિર્દોષ વાર્તાવિત કરીએ છીએ, તેથી મહારાણુની આજ્ઞાને કેઈપણ રીતે ભંગ થતું નથી.”
રાજકુમારી ખરૂં કહે છે.” યમુના અને કુસુમ હો માં હા મીલાવી દીધી.
ઠીક ત્યારે, હું હારી અને તમે જીત્યા પછી જે કાંઈ ” રુકિમણીએ હાસ્યપૂર્વક કહ્યું.
હવે કેવી ઠેકાણે આવી, પરંતુ કુમારે શા સમાચાર કહાવ્યા છે તે હવે અમને કહીશ કે નહિ? ” યમુનાએ પુનઃ એજ સ્વાલ પૂછયે.
વળી પાછી એની એ વાત; જે હવે મને એ વાત પૂછશે તે હું તમારાથી રીસાઈ જઈશ.” રુકિમણીએ હસીને કહ્યું.
જે તું રીસાઈ જઈશ તે રાણી રૂકિમણીને મનાવવા માટે અમે કૃષ્ણને તેડી લાવશું.” કુસુમે એમ કહીને નવ યોવના રુકિમના ગુલાબી ગાલ ઉપર ધીમેથી એક ચુંટી ખણ લીધી
રુકિમણું મહેઠેથી સત્કાર કરતી ગાલ ઉપર હાથ ફેરવવા લાગી અને કમળા, યમુના અને કુસુમ ત્રણે જણીઓ ખડખડાટ હસી પડી. તેઓના હાસ્યથી ઉપવનની વેલીઓ, વૃક્ષો અને પક્ષી. એ પણ હસવા લાગ્યાં.
ક્ષણ વાર રહીને કુસુમે કહ્યું. આમ જુઓ, સામી બાજુએથી રુકિમણીના કુણ આવતાં જણાય છે કે શું? ચાલે આપણે આ મંદિરમાં છુપાઈ જઈએ.
રુકિમણીએ વિચાર્યું કે કુસુમ મારી મશ્કરી કરે છે એટલે તે તે ત્યાંને ત્યાંજ ઉભી રહી અને કમળા તથા યમુના કુસુમની સાથે માતાના મંદિરમાં ચાલી ગઈ અને અંદરથી તેનાં બારણાં બંધ કર્યા.
ત્યાર પછી રુકિમણીએ સામી બાજુએ દ્રષ્ટિ કરી તે ખરેખર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org