________________
૧૧૭
જંગલમાં મંગલ. જ રહેતા હતા. ચપ્પનને કહેવાતા મુલક જે કે તદન પહાડી હતે તે પણ પર્વતની હારમાળા, અનેક જાતિનાં વૃક્ષે, ઉંડી ઉંડી ખીણે, નાની–મોટી સરિતાઓ અને સ્વચ્છ પાણીના ઝરાથી તેની નૈસર્ગિક શોભા અલોકિક હતી. આ ઉપવનનું સૌદર્ય નિહાળવાને અને એ રીત્યા દુઃખી મનને શાંત કરવાને ખુદ પ્રતાપસિંહ, તેના સરદારે અને તેનાં આ મનુષ્યો સમયપરત્વે આવતાં હતાં. દુ:ખી મનુષ્ય પિતાનાં દુઃખના દિવસે શી રીતે પસાર કરે છે, એ તે માત્ર અનુભવીઓ જ જાણી શકે છે અને તેથી અમે એ વિશે વધુ વિવે. ચન અત્રે કરતા નથી.
આજે પ્રભાતમાં ઉપર્યુક્ત ચારે સખીઓ ચાન્ડ નગરની બહારનાં ઉપવનમાં કુદરતી સૌંદર્ય જેવાને આવી હતી. ચોડ નગરની બહાર ભીલોની માતાનું મંદિર વૃક્ષેની ઘટામાં આવેલું હતું અને એ મંદિરની બહારના ચોરા ઉપર એ ચાર સખીઓ બેઠી બેઠી વિવિધ પ્રકારનાં વાર્તાલાપ કરી રહી હતી. કમળા, ચમુના, રુકિમણું અને કસમે સામાન્ય સ્ત્રીઓની જેમ માત્ર સાદાં વસ્ત્ર પરિધાન કરેલાં હતાં અને તેમાંથી એકેના અંગ ઉપર કિંમતી આ. ભૂષણનું નામ નિશાન પણ નહોતું, તે પણ તેમનું સ્વાભાવિક સંદર્ય એવા પ્રકારનું હતું કે તેમને જેનાર પ્રત્યેક મનુષ્ય મંત્રમુગ્ધ થયા સિવાય રહેતું નહોતું. સ્વર્ગભૂમિની સુરસુંદરીઓ સમાન આ ચારે યુવતીઓ શે વાર્તાવિનોદ કરતી હતી, એજ હવે આપણને જાણ વાની અગત્ય છે.
કુસુમ!” યમુનાએ એક સુંદર વિકસિત પુષ્પ બતાવીને કહ્યું. “આ પુષ્પનાં સાંદર્ય જેવું તારૂં સંદર્ય પણ અનુપમ છે હો ! ખરેખર કર્મસિંહ ભાગ્યશાળી તે ખરા, કેમ ખરું કે નહિ?
“અલબત, તારું કહેવું કેવળ સત્ય છે; યમુના !” રાજ. કુમારી કમળાએ કહ્યું. “કુસુમ અને કર્મસિંહ! કેવું અનુપમ ડું? જાણે રતિ અને કામદેવ!”
અને કુસુમ પણ ભાગ્યશાલિની નહિ કે?” રુકિમણીએ તુરતજ કહ્યું. “કર્મસિંહ જે સવાંગસુંદર અને સર્વગુણસંપન્ન પતિ મળ શું સહેલ છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org