________________
૧૧૬
ભાગ્યવિધાયક ભામાશાહ. હતી અને પક્ષીયુગલે ઉપવનની અપૂર્વ ભા નિહાળીને કલેલ કરતાં હતાં. આરાવલી પર્વતની હારમાળા તરફ પ્રસરી રહેલી હતી અને ઉપર ઉદય પામતાં સરનાં તેજસ્વી કિરણને પડતે પ્રકાશ વિચિત્રતાનું ભાન કરાતે હતે. સરખી વયની વેલીઓ સમાન સખીઓનું વૃંદ ઉનમાં આસપાસ ફરતું હતું અને પરસ્પર આનંદગાછી ચલાવતું હતું. આ છંદ ચાર યુવાન વયે પહોંચેલી બાળાઓનું બનેલું હતું અને એ ચારે બાળાઓને પર સ્પર એવી તે પ્રીતિ બંધાયેલી હતી કે તેઓને ક્ષણવાર પણ એક બીજીના સહવાસ વિના ચાલતું નહોતું મહારાણા પ્રતાપસિંહની પુત્રી રાજકુમારી કમળા, સઢ એક કન્યા યમુના, મહારાણાના મૃત સરદાર રાજા રઘુ રુડ ની કન્યા રુકિમણી અને મીશ્વર ભામાશાહની પુત્રી કુસુમ એ ચારે સમાન વય અને સમાન રૂપવાળી સખીઓ આજે પ્રભાતમાં ચપન પ્રદેશનાં ઉપવ. નમાં આવીને હાસ્યવિનોદ કરતી હતી. કેમલમેરના યુદ્ધમાં પરાજય પામ્યા પછી મહારાણા પ્રતાપસિંહે પોતાના પરિવાર અને આત્મીય માણસો સાથે આ પ્રદેશમાં આવીને નિવાસ કર્યો હતે. આ સ્થળે ભીલ લોકોની વસતિ મોટા પ્રમાણમાં વસેલી હતી અને તેમણે જ પ્રતાપસિંહને આશ્રય આપ્યો હતો. પ્રતાપસિંહ આ પ્રદેશના મધ્યભાગે આવેલા ચાન્ડ નગરમાં છુપી રીતે રહેતું હતું. કેમકે દુશ્મનોનાં જૂદાં જુદાં સૈન્ય તેને હરાવવાને અને તેને પકડી લેવાને માટે આમતેમ ફરતાં જ હતાં.
મેવાડના નૈરૂત્ય ખુણાને ચપ્પન કહેવાય છે. આ પ્રદેશ તદ્દન પહાડી છે અને અમે જે સમયની આ નવલકથા લખીએ છીએ, તે સમયે તેમાં ૩૫૦ ગામડાં હતાં અને તેમાં મુખ્યત્વે કરીને ભીલ
* મહારાણા પ્રતાપસિંહને પુત્રી હતી કે કેમ એ સંબધમાં ઇતિહાસમાં મતભેદ રહેલો છે. કેઈ ઈતિહાસકારે તેમને અશ્રુમતી નામક પુત્રી હોવાનું અને તેને શાહજાદા સલીમ સાથે પ્યારમાં પડયાનું દર્શાવેલું છે, પરંતુ એ વાત તદ્દન અસંભવિત જણાય છે; કેમકે પ્રતાપ જેવા અકબરનાં મહાન શત્રની પુત્રી ખુદ અકબરના શાહજાદા સલીમ સાથે પ્યારમાં પડે, એ દેખીતી રીતે કેવળ અસ્વાભાવિક છે. -લેખક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org