________________
જંગલમાં મંગલ.
૧૧૫ ખુદાવીંદ! આપના રિમાન પ્રમાણે વર્તવાને હું તૈયારજ છું થાનસિંહે કહ્યું.
“બહુત ખુબ” બાદશાહે આસન ઉપરથી ઉઠીને કહ્યું “અને તમારી પુત્રીનું વિજય સાથે જ્યારે લગન કરે, ત્યારે મને અવશ્ય ખબર આપજે. હવે તમને જવાની રજા છે.”
બાદશાહ ઉઠ, તે સાથે જ સર્વ ઉભા થઈ ગયા હતા. થાનસિંહે કહ્યું. નામવર શાહ ! આપની કૃપાદ્રષ્ટિ પાટે હું આપને અત્યંત આભારી છું. મારી પુત્રીના લગ્ન સમયે આપને અવશ્ય ખબર આપીશ.
એ પ્રમાણે કહી થાનસિકતાને લઈ ચાલ્યા ગયા અને વિજય પણ બાદશાહને ઉપકાર ની તેને કુનિસ બજાવીને તેમ ની પાછળ ગયો. તે પછી શહેનશાહ અકબર બીરબલને લઈ શાહી દરબારમાં ગયે.*
પ્રકરણ ૧૫ મું.
જંગલમાં મંગલ. મેવાડના નૈરૂત્ય કોણમાં આવેલા ચપ્પન નામક પ્રદેશનાં ઉપવનમાં નાજુક અને સુકોમળ વેલીઓ વૃક્ષને આલિંગન કરતી
* પંડીત પદ્મસાગર ગણિકૃત જગદ્દગુરૂ કાવ્યમાં ચંપાએ છ માસના ઉપવાસ કર્યાનું બાદશાહ અકબરે જાણતાં તે સંબંધી ખાતરી કરવા માટે તેણે ચંપાને એકાંત મકાનમાં રહેવાની આજ્ઞા કરી હતી અને પોતાના વિશ્વાસુ નોકરને ચંપાની રાત દિવસની ચર્ચાની ખબર રાખવા સૂચના આપી હતી. માસ દઢમાસ પર્યત એ પ્રમાણે કર્યા પછી તેને જણાયું કે તેની વૃત્તિમાં કોઈ પ્રકારનો દંભ નહોતો અને તેથી ચંપાને બહુમાનપૂર્વક તેના ઘેર જવાની તેણે રજા આપી હતી. એમ લખવામાં આવેલું છે અને અમને પણ એમ બનવું સંભવિત લાગે છે, પરંતુ આ એક નવલકથા હોઈ તેમાં પ્રસંગોપાત ઉચિત ફેરફાર કરવાની અમે હરકત જોતાં નથી તેમ તેથી મૂળ ઈતિહાસને કશે. બાધ આવતો હોય એમ પણ અમે માનતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org