________________
ભાગ્યવિધાયક ભામાશાહ. અસંખ્ય અને વિશાળ મોગલ સૈન્ય હતું અને તેની સામી બાજુએ માત્ર બાવીશ હજાર રાજપુતા હતા, પરંતુ એ બાવીશ હજાર રાજપુતેએ જનની જન્મભૂમિને માટે પિતાનાં પ્રિય પ્રાણની સહેજ પણ દરકાર કર્યા વિના, જે અસાધારણ વીરત્વ બતાવ્યું હતું, તેનું યથાર્થ વર્ણન કરવાને આ યુદ્ધ લેખિની અસમર્થ છે. હલ્દીઘાટના પ્રદેશમાં એક બાજુ પ્રતાપી પ્રતાપસિંહ અને બીજી બાજુએ રણકુશલ મોગલ સેનાપતિ માનસિંહ હતા. ઉભય રાજપુત હતા, બળવાન હતા અને બુદ્ધિસંપન્ન હતા, પરંતુ સ્વદેશની સ્વતંત્રતા માટે લડનાર પ્રતાપસિંહ કયાં અને ચેડાભને ખાતર મેગલ શહેનશાહ અકબરનો ગુલામ થનાર માનસિંહ કયાં? એકે સ્વદેશના રક્ષણ માટે પ્રાણાન્ત કષ્ટ સહન કરી મેવાડને પુનરૂદ્ધાર કર્યો અને બીજાએ પિતાના દેશને પરતંત્ર કરવા માટે જ યુદ્ધ કર્યું શું વિધી પ્રકૃતિના આ બે પુરૂષોની તુલના હોઈ શકે ખરી કે?
અમે જે સમયની ઘટનાને ઉલ્લેખ કરવાને પ્રસંગ અત્રે હાથમાં લીધે છે, તે સમયે પ્રસિદ્ધ હલ્દીઘાટનાં યુદ્ધને જ દિવસ હતે. મેવાડને રાણા પ્રતાપસિંહ પિતાના બહાદૂર બાવીશ હજાર રાજપુત વીર સાથે મોગલેની અગણિત સેના સામે બહાદૂરીથી લડી રહ્યો હતો અને મેગલ સેનાપતિ માનસિંહ પિતાના દેશની પાયમાલી પિતાનાજ હસ્તે કરી રહ્યો હતે. એક તરફથી હર હર મહાદેવ અને બીજી તરફથી અલ્લાહો અકબરના ભીષણ અને ગગન ભેદી અવાજે કાનને ફાડી નાંખતા હતા. શ્રા અને મરણીયા થયેલા રાજપુતે ભૂખ્યા સિંહની જેમ મુસલમાને ઉપર તુટી પડયા હતા મેગલ સૈનિકો પણ બહાદૂરીથી લડી રહ્યા હતા, તરવાર, ભાલાઓ અને તીરે સામ સામે ઉછળી રહ્યા હતાં અને તેથી સૈનિકના માથાં ધડથી જુદાં થતાં વાર લાગતી નહોતી. હલદીઘાટને પ્રદેશ લોહીથી તરબોળ થઈ ગયું હતું. આ સમયે રાણે પ્રતાપસિંહ રાજા માનસિંહને પિતાના બાહુબળને અનુભવ કરાવવાને તલપાપડ થઈ રહ્યો હતો અને તેથી તે તેને ખોળી કહાડવાને પોતાના સૈન્યના મેખરે આવીને ઘુમતે હતે; પરંતુ માનસિંહ મોગલ સૈન્યની છેક પછવાડે હાવાથી પિતાની ઇચ્છા પૂર્ણ કરવાનું પ્રતાપથી બની શકયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org