SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતને પ્રભાવે. ૧૧૩ જસ્વી વદન નિહાળીને તેને એ વાતમાં સત્ય પ્રતિત થયું તે પણ પૂર્ણ ખાતરી કરવાને માટે તેણે પૂછયું. “ચંપા ! તારા બાબા કહે છે, એ પ્રમાણે તે આટલી કમળ અને નાજુક વયે એક માસના ઉપવાસ કર્યા છે, તે શું સત્ય છે?” “જહાંપનાહ !” ચંપાએ પિતાની નજર જશ ઉંચી કરીને ઉત્તર આપે. “મેં માસક્ષમણનું વ્રત કર્યું છે, એ વાત તદ્દન સત્ય છે. આપજ વિચાર કરે કે આવા વિષયમાં મારા પિતાશ્રીએ તથા મારે શા માટે અસત્ય બોલવું જોઈએ ?” ચંપાની નિર્દોષ વાણું તથા તેની શાંત પ્રકૃતિ જોઈને બાદ શાહને એ વાતની સંપૂર્ણ ખાતરી થઈ અને તેથી તેના આશ્ચર્યને પાર રહ્યો નહિ. તેણે કહ્યું. ચંપા ! ખરેખર તું જીન્નતની પરી છે; કેમકે એક સામાન્ય એરતથી આવું વ્રત કદિ પણ થઈ શકે નહિ.” “નામવર શહેનશાહ!” ચંપાએ મધુર સ્વરે કહ્યું. “ધર્મના પ્રતાપથી હર કોઈ મનુષ્ય ધારે તેવું વ્રત કરી શકે છે, એટલે તેમાં શંકા ધરવાનું કાંઈ પણ કારણ નથી.” બત ખુબ, ચંપા!” બાદશાહે હસીને કહ્યું. પરંતુ તેં આવું સખ્ત વ્રત શા માટે અને શી રીતે કર્યું, તે મને તું કહી શકીશ?” જહાંપનાહ!” ચંપાએ કહ્યું. આ વ્રત આત્મહિત સાધવાને માટે કરવામાં આવે છે અને સાક્ષાત્ ધર્મસ્વરૂપ મહાત્મા શ્રી હીરવિજયસૂરિની સુકૃપાથી જ હું કરી શકી છું.” બાદશાહે જીજ્ઞાસાથી પ્રશ્ન કર્યો. “હીરવિજયસૂરિ કેણુ છે અને તે ક્યાં રહે છે, તે તું જાણે છે, ચંપા ? ચંપાએ પોતાના પિતા થાનસિંધુની સામે અર્થસૂચક દૃષ્ટિ થી જોયું એટલે તે તેને ભાવ સમજી ગયા અને બોલ્યા. “બાદશાહ સલામત ! હીરવિજયસૂરિ અમારા જેનધર્મના એક મહાન વિદ્વાન અને સમર્થ આચાર્ય છે અને તેઓશ્રીનું નિવાસસ્થાન હાલ ગુજરાતમાં છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy