________________
વ્રતનો પ્રભાવ.
૧૧૧
કરી લીધી. ત્યારબાદ ચંપા પુન: પાલખીમાં બેઠી અને સરઘસ પાછું ચાલ્યું. જે વખતે સરઘસ શાહી મહેલ પાસેથી પસાર થતું હતું, તે વખતે બાદશાહ અકબર મહેલના વાતાયનમાંથી રાજમાર્ગનું અવલોકન કરી રહ્યો હતો અને તેથી તેની દષ્ટિ સરઘસ ઉપર પડી. તેણે તુરતજ પાસે ઉભેલા દિવાન ટેડરમલ્લને સરઘસ વિષે પૂછયું.
“જહાંપનાહ! ”ટેડરમલે જવાબ આપે. “થાનસિંહ શેઠની પુત્રી ચંપાએ ધાર્મિકત્રત કરેલું હોવાથી તેના ઉદ્યાપનના ઉત્સવનું આ સરઘસ છે અને તે જૈનીઓના મુખ્ય મંદિરે દર્શન કરીને પાછું જતું જણાય છે.”
થાનસિંહની પુત્રીએ શું વ્રત કર્યું હતું? અકબરે જીજ્ઞાસાથી પૂછયું.
તેણે છ માસી તપ અને માસક્ષમણનું વ્રત કરેલું હતું.” ટેડરમલે જવાબ આપે.
છમાસી ત૫ અને માસક્ષમણનું વ્રત શી રીતે થતું હશે? અકબરે પુન: પૂછ્યું.
બાદશાહ સલામત! એક દિવસ ઉપવાસ અને એક દિવસ માત્ર બેજ વખત નિયમપૂર્વક જમવું એ રીતે છ માસ સુધી કરવું તેને છમાસી તપ કહે છે અને એક માસ પર્યત માત્ર ગરમ પાણી પીને જ રહેવું, તેને માસક્ષમણ કહેવાય છે,” ટોડરમલે કહ્યું.
“ટેડરમલ્લ! તમે કહ્યું તે મુજબનું શું તે વ્રત કર્યું હતું ? બાદશાહે આશ્ચર્ય પામતાં પૂછ્યું.
જી, હા,”ટેડરમલે કહ્યું. “તમારે એ વિષે શું અભિપ્રાય છે, બીરબલ!” બાદશાહે બીરબલ પ્રત્યે જોઈને પૂછયું.
“દિવાન ટેડરમલ્લ કહે છે, તે સત્ય છે જનાબ ! જેની વ્રત, નિયમ, તપ, જપ વગેરે ધાર્મિક ક્રિયાઓ કરવામાં બહુજ શ્રદ્ધાળુ હોય છે અને તેથી તેમાં આપે આશ્ચર્ય દર્શાવવાનું કશું પણ પ્રજન નથી.” બીરબલે ઉત્તર આપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org