________________
૧૧૦
ભાગ્યવિધાયક ભામાશાહ.
હર્ષમાં અને હર્ષમાં તે દિવસ અને રાત્રિ ક્યારે પસાર થઈ ગયાં, તેની ચંપાને કશી પણ ખબર પડી નહિ. પ્રભાતકાળ થતાં ચંપા વહેલી જાગૃત થઈ અને કાર્યમાં ગુંથાઈ ગઈ. તે હમેશાં ઉદાસ રહેતી હતી, પરંતુ આજે તેના આનંદની સીમા નહતી. ચંપાએ પિતાના પ્રેમપાત્ર વિજયના મિલનને માટે આદરેલાં વ્રતના ઉદ્યાપનને આજ દિવસ હતું અને તેથી તત્સંબંધી ઉત્સવની સર્વ પ્રકારની તૈયારીઓ થાનસિંહ શેઠની સૂચનાનુસાર ચાલી રહી હતી. ઉત્સવની તૈયારી થઈ રહ્યા બાદ, થાનસિંહ શેઠ પાલખીમાં બેસીને વિજયને બાદશાહ તરફથી મળેલા રહેવાના મકાને ગયા અને તેને પિતાની સાથેજ પાલખીમાં બેસારીને માનસહિત પોતાના આવાસે તેડી લાવ્યા. આવાસે આવ્યા પછી થાનસિંહ વિજયને સઘળી વાત કહી બતાવી અને પિતે તેના પ્રતિ જે સખ્ત વર્તન ચલાવ્યું હતું, તે માટે તેની ક્ષમા પણ માગી લીધી. બધી વાત સાંભળીને વિજય પિતાના પિતા તુલ્ય થાનસિંહ શેઠના પગે પડ્યો. થાનસિંહે તેને પ્રેમપૂર્વક ઉઠાડીને એગ્ય આશિર્વાદ આપે. તે પછી તે તથા વિજય ઉત્સવના કાર્યમાં જોડાઈ ગયા. ચંપાને વિજયના આગમનના સમાચાર મળી ગયા હતા અને તેથી તે તેને મળવાને આતુર થઈ રહી હતી, પરંતુ પિતાને આવાસે અસંખ્ય સ્ત્રી-પુરૂષે એકત્ર થયેલાં હોવાથી તેને વિજયને મળવાને અવકાશ મળી શકે તેમ નહોતું. એગ્ય સમય થતાં ચંપા સ્નાન કરી ઉત્તમ પ્રકારનાં શુદ્ધ વસ્ત્રો પહેરીને તૈયાર થઈ ગઈ અને ઘરના વડિલ વર્ગને પ્રણામ કરીને પાલખીમાં આવીને બેઠી કે તુરતજ હાજર રહેલાં સર્વ મનુષ્ય સરઘસના આકારમાં ગોઠવાઈને ચાલવા લાગ્યાં. આગળ વિવિધ પ્રકારનાં વાજાં વાગતાં હતાં અને પાછળ કિન્નરકંઠી યુવતીઓ મધુર સ્વરે ધવલ મંગળ ગાતી હતી. વચ્ચે ઉત્તમ પ્રકારે શણગારેલી પાલખીમાં દેવી સ્વરૂપા ચંપા પરમાત્માનું ધ્યાન ધરતી બેઠેલી હતી. ક્રમાનુસાર ચાલતું આ સરઘસ શહેરમાં ફરતું ફરતું દેવ મંદિરે આવી પહોંચ્યું. ચંપા પાલખીમાંથી નીચે ઉતરીને દેવમંદીરમાં આવી અને તેણે જગન્નાયક પરમાત્માની ભકિતપૂર્વક પૂજા કરી. તે દરમ્યાન સર્વ મનુષ્યએ પણ પ્રભુની નિર્મળ ચિત્તે સ્તુતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org