________________
૧૦૮
ભાગ્યવિધાયક ભામાશાહ. એ પ્રસંગ બન્ય, તે હું મારું જીવન શી રીતે વ્યતિત કરીશ, તે અત્યારે કહી શકતી નથી. અત્યારે માત્ર એટલું જ કહું છું કે મેં જે નિશ્ચય કર્યો છે, તેને હું ગમે તે ભેગે વળગી રહેવાને તૈયાર છું. વિશેષમાં મેં આદરેલું છમાસી તપનું વ્રત તથા માસક્ષમણ
આવતી કાલે સંપૂર્ણ થાય છે અને મને આશા છે કે મારા વ્રતના પ્રભાવથી મારી મન:કામના સફળ થશેજ થશે.”
થાનસિંહે પિતાના આસન ઉપરથી ઉઠીને ચંપાના મસ્તકે પ્રેમપૂર્વક હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું. “પ્રિય પુત્રી! તારૂં વૈર્ય અને તારી એકનિષ્ઠા જોઈને હું બહુજ ખુશી થયો છું અને તારા જેવી દેવી સ્વરૂપ પુત્રીને પિતા હવાને માટે હું પરમાત્માને ઉપકાર માનું છું. હાલી ચંપા ! તને ખુશખબર કહેવાને માટે જ હું અત્યારે અહીં આવ્યો છું, પરંતુ તે કહેતાં પહેલાં તારી પરીક્ષા કરવાની મારી લાલચને રોકી નહિ શકવાથી જ મેં તને વિપરીત પ્રત્રને પૂછીને દુઃખી કરી છે. હવે તું તારા દિલના દુ:ખને દૂર કર અને હું જે ખુશખબર લાવ્યો છું તે પ્રસન્ન થઈને સાંભળ. ચંપા! વિજયને અહીંથી રજા આપ્યા પછી તેના વિયેગથી તને ઉપજતું દુ:ખ જોઈને મને મારી ભૂલ સમજવામાં આવી હતી અને તેથી તને પુનઃ સુખી કરવાની ઈચ્છાથી હું વિજયની ગુપ્ત રીતે શોધ કરાવતા હતા. બહુ પ્રકારે શેાધ કરાવ્યા પછી આજે મને તેની ખબર મળી છે. શહેનશાહના મિત્ર ફિજી પ્રભાતમાં આપણે આવાસે આવ્યા હતા અને તેણે જ તેનો પત્તો મેળવી આપે છે. તેણે શરૂઆતની કેટલીક હકીકત ગુપ્ત હોવાથી મને કહી નથી; પરંતુ છેવટની જે હકીકત કહી છે, તે એ છે કે વિજય કેઈ કારણથી શહેનશાહની કૃપા સંપાદન કરીને દિવાનટેડરમલ્લના તાબામાં અધિકાયુક્ત સારી પદવી મેળવી શકે છે. વ્રતને પ્રભાવ મહાન છે અને આ રીતે તારૂં વ્રત સફળ થયેલું જોઈને મને બહુજ આનંદ થાય છે. તે આદરેલું વ્રત આવતી કાલે સંપૂર્ણ થતું હોઈ તેના ઉદ્યાપનનો ઉત્સવ પણ આવતી કાલેજ ઉજવવાનો છે, તે વખતે વિજયને માનસહિત આપણું આવાસે તેડી લાવશું અને
જગદ્દગુરૂ કાવ્યમાં છ માસના કેવળ ઉપવાસ કર્યાનું લખેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org