________________
૧૭
વ્રતનો પ્રભાવ. “એટલા માટે જ હું તને કહું છું કે ચંપા! તું તેની આશા હવે મૂકી દે અને કેઈ લાયક યુવકની સાથે લગ્ન કરીને સુખી થા.” થાનસિંહ શેઠ ચંપાનું છેવટનું વાક્ય સાંભળીને તેને મેગ્ય ઉત્તર આપતા ઓરડામાં દાખલ થયા.
ચંપા શરમાઈ ગઈ અને શરમથી તેણે નીચું જોઈ લીધું.
થાનસિંહ ચંપાની સામે પડેલા આસન ઉપર બેસતાં બેસતાં કહ્યું, “ચંપા ! શા માટે શરમાય છે? મારું કથન શું તને યેગ્ય લાગતું નથી ?”
ચંપાએ સહેજ ઉંચું જોઈને તથા પોતાનાં કમળ સમાન નેત્રને વિકસિત કરીને કહ્યું. “પિતાશ્રી ! આપની સન્મુખ શરમનો ત્યાગ કરું છું, તે માટે મને ક્ષમા આપજો. આપનું કથન ગ્ય જ છે, પરંતુ વિજય સિવાય અન્ય યુવકને હું લાયક ગણતી નથી.
એનું કારણ?” થાનસિહે જીજ્ઞાસાથી પૂછયું.
પુત્રીએ પિતા સન્મુખ આવી વાત કહેવી, એ અનુચિત છે; પરંતુ આપજ જ્યારે પૂછે છે ત્યારે મારે લજજાને ત્યાગ કરીને જે હકીક્ત હોય, તે સ્પષ્ટતાથી કહેવી જોઈએ. પિતાશ્રી ! વિજય સિવાય અન્યને હું લાયક ગણતી નથી, એનું કારણ એજ કે મેં મારું જીવન વિજયને અર્પણ કર્યું છે.” ચંપાએ કારણ કહી દર્શાવ્યું.
ચંપ! તારે મન વિજયજ માત્ર એક લાયક યુવક છે એ વાતને હું ઘડીભર સ્વીકારું છું, પરંતુ ઘટિત શોધ કરવા છતાં પણ
જ્યારે તેનો પત્તો મળતું નથી, ત્યારે શું કરવું ? અને ધાર કે તપાસ કરવા છતાં પણ કદાચ તેને પત્તો મળ્યો નહિ, તો શું તું તારું જીવન કુમારી અવસ્થામાં વિતાવી શકીશ ?” થાનસિંહે એક ને સ્વાલ રજુ કર્યો.
ચંપા ક્ષણવાર વિચારમાં પડી ગઈ, પરંતુ તેણે તુરતજ સાવધ થઈને ઉત્તર આપે. “પિતાશ્રી ! આપની ધારણું મુજ. બને પ્રસંગ પરમાત્મા મહાવીર ભગવાનની કૃપાથી કદિ પણ બનશે નહિ, એવી મને ખાતરી છે, પરંતુ મારા ભાગ્યમે કદાચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org