________________
ભાગ્યવિધાયક ભામાશાહહારિક તથા ધાર્મિક શાસ્ત્રનો સારો અભ્યાસ કરેલ હતો અને તેથી તેને ધાર્મિક વિષયનાં ઉચ્ચ કોટીનાં પુસ્તક વાંચવામાં બહુજ આનંદ આવતું હતું. ચંખાએ સદરહુ પુસ્તકમાંથી નીચેનો કર્લોક વાંચે –
वन्हिस्तस्य जलायते. जलनिधिः कुल्यायते तत्क्षणान्मेरुः स्वल्पशिलायते मृगपतिः सद्यः कुरंगायते । व्यालो माल्यगुणायते विषरसः पीयूषवर्षायते,
यस्यांखललोक वल्लभतमं शीलं समुन्मीलति ।। ઉપર અજબ લેક વાંચીને તેણે તેને અર્થ વિચારવા માંડે –
જેનાં શરીરમાં સર્વલોકપ્રિય એવું શાલ રહેલું છે, તેની પાસે અગ્નિ જળ સમાન, સમુદ્ર ખાચિયા સમાન, મેરૂ પર્વત નાની શિલા સમાન, સિંહ હરણ સમાન, સર્ષ પુષ્પની માળા સમાન અને વિષ અમૃત સમાન બની જાય છે.”
અહા ! શીલને કેટલો બધો મહિમા શાસ્ત્રકારોએ બતા વ્યા છે? મનુષ્ય જે પોતાના શીલનું રક્ષણ કરતા હોય, તે તેઓ આ લોકમાં સંપૂર્ણ સુખ ભોગવી છેવટે મેક્ષના અધિકારી બને છે. સ્ત્રી જાતિમાં શીલન ગુણ સર્વોત્તમ ગણાય છે. એ અક્ષરશ: સત્ય છે અને જે સ્ત્રીએ તેનું યથાર્થ પણે પાલન કરે છે, તેઓ દેવી સ્વરૂપાજ કહેવાય છે. પિતાજીનો વિચાર મારૂં લગ્ન કેઈ ઉચ્ચ અધિકારયુક્ત અને શ્રીમંત યુવક સાથે કરવાનું છે, પરંતુ મેં મારું સર્વસ્વ સંકલ્પથી વિજયને સ્વાધિન કર્યું છે, તે શું અન્યનું થઈ શકે ખરું? કદિ નહિ અને જો તેમ થાય તે મારા શીલનો શું ભંગ થત નથી ? થાય છે અને તેથી આ શરીર, મન અને આત્મા એ ત્રણેને સ્વામી એક માત્ર વિજય જ છે, એ મેં જે સંકલ્પ કર્યો છે, તેને ગમે તે ભેગે હું વળગી રહેવાને તૈયાર છું.” ચપાએ એ પ્રમાણે નિશ્ચય કર્યો અને તેથી તેના બળતા હદયને ક્ષણવાર શાંતિને અનુભવ થયે; પરંતુ તેને પાછે તુરતજ વિચાર થયે અને તેનાથી મોટા સ્વરે બોલી જવાયું. પરંતુ વિજયને પત્તો નથી, એનું શું કરવું ? તે કયાં હશે અને તેનું શું થયું હશે ? ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org