________________
વ્રતનો પ્રભાવે.
૧૦૫
પ્રકરણ ૧૪ મું.
વ્રતનો પ્રભાવ, દ્વિતીય પ્રકરણમાં ચંપાને મૂછગન : અવસ્થામાં છેવટે છોડી દિધા પછી લગભગ વર્ષ ઉપરાંત જેટલો સમય પસાર થઈ ગયે છે. આ સમય દરમ્યાન પ્રેમમયી ચંપા પોતાના પ્રેમપાત્ર વિજથને જ કેવળ વિચાર કરતી હતી. રાતદિવસ તેને વિજયનાં જ સ્વપનાં આવતાં હતાં. ખાતાં, પીતાં, સુતાં, બેસતાં અને હાલતાં ચાલતાં તેને વિજયનું જ સ્મરણ થતું હતું. પ્રેમનો મહિમા એ
જ છે. જેના હૃદયમાં પ્રેમનો જન્મ થયેલ હોય છે, તેની સ્થિતિ અવશ્ય વિચિત્ર બને છે અને તેથી તેમાં આશ્ચર્ય પામવાનું કશું પ્રજન નથી. વિજયથી છુટા પડયાને એક વર્ષ અને ત્રણ માસ જેટલો સમય વ્યતિ થઈ ગયો હતો, પરંતુ તે સમય દરમ્યાન ચંપાને વિજયના કશા પણ સમાચાર મળ્યા નહેતા તથા તે કયાં ગયે અને તેનું શું થયું, એ વિષે તે કશું પણ જાણતી નહોતી. તેણે પોતાની દાસીઓ દ્વારા ઘણુ શોધ કરાવી હતી, પરંતુ આગ્રા જેવા વિશાળ રાજનગરમાં તેને પત્તો મેળવવાનું કાર્ય બહુજ મુશ્કેલ હતું અને તેથી આજપર્યત તેના કોઈ પણ સમાચાર નહિ મળવાથી તે બહુજ દીલગીર રહેતી હતી. ચંપાની ચંપકવણય દેહલતા કરમાઈ ગઈ હતી. તેનું સુંદર મુખકમળ પ્લાન બની ગયું હતું, તેની વિશાળ આંખે ઉડી પેસી ગઈ હતી અને તેની શારી. રિક અને માનસિક અવસ્થા વિચિત્ર પ્રકારની થઈ ગઈ હતી. ચં. પાની આવી સ્થિતિ થવાનું કારણ તેના વહાલા વિજયને વિયેગ એજ હતું.
મધ્યાહુને સમય હતો અને જે કે તાપે સખ્ત પડતું હતું, તે પણ ચંપાના ઓરડામાં શીતળતાનો અનુભવ થતો હતો. સવગ સુંદરી ચંપા ઓરડામાં બેઠી બેઠી એક પુસ્તકનું અધ્યયન કરી રહી હતી. ચંપાની અવસ્થા નાની હતી, પરંતુ તેણે વ્યાવ ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org