________________
૧૦૪
ભાગ્યવિધાયક ભામાશાહ. બંદોબસ્ત જાળવવા ત્યાં મેવાડમાં જ આપના હુકમની રાહ જોતા સૈન્ય સહિત રહેલા છે.”
“બહુત ખુબ, મહેમ્બતખાં ! ” બાદશાહે હસીને કહ્યું. “તમને હવે તમારા મુકામે જવાની રજા છે. ”
મહોબ્બતખાં રજા મળતાં બાદશાહને નમીને ચાલ્યા ગયે. ત્યારબાદ અકબરે સિંહાસન ઉપરથી ઉઠીને ઉભા થતાં તથા ઓરડાની બહાર નીકળતાં ફજીને કહ્યું. “રાજપૂતે માટે તમને બહુમાન છે કે શું ?”
“માન છે કે નહિ, એ જૂદ સ્વાલ છે, પરંતુ તેઓ યુદ્ધનિપુણ છે, એ તે આપ પણ સ્વીકારો છે.” ફિજીએ કહ્યું.
“મહોબ્બતખાનું કથન સર્વથા અસત્ય તે નથી જ; કેમકે માનસિંહ વિના આપણે મેવાડને વશ કરી શકત નહિ, એવી મારી પણ માન્યતા છે.” બાદશાહે કહ્યું.
ઠીક, પણ શાહજાદા માટે આપ શા વિચાર ઉપર આવ્યા છે ?” ફેંજીએ વિષયને બદલાવવાના હેતુથી પૂછયું.
“એ વિષે મેં કાંઈ વિચાર કર્યો જ નથી, પરંતુશાહજાદાને રજીયા સાથે શી રીતે સંબંધ જોડાયે, એ સમજી શકાતું નથી.” બાદશાહે કહ્યું.
“એ ભેદ ઉકેલવાને હું પ્રયાસ કરીશ. હાલ તે મને રજા છે ને?” ફિજીએ ખિન્નતાથી એમ કહીને રજા માંગી.
હા, રજા છે, કારણ કે મારે પણ અત્યારે બીજું કામ છે.” બાદશાહે તેને રજા આપીને પૂછ્યું. “પેલે કાગળ તમારી પાસે છે ને?”
જી, હા.”જીએ બાદશાહને નમીને જતાં જતાં જવાબ
આપે.
ફિચાલ્યા ગયે અને બાદશાહ પુન:ઓરડામાં પાછા આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org