________________
૧૦૦ :
ભાગ્યવિધાયક ભામાશાહ હસતાં કહ્યું. “તારા જેવા લાયક, ધર્મપ્રીય, વિશ્વાસુ અને ચારિ ત્રવાન યુવકને શહેનશાહ જલાલુદ્દીન અકબર કદિ પણ સજા કરતે નથી; કિન્તુ તેવા યુવકની ગ્ય કદરજ કરે છે. વિજય! મારા મિત્ર ફેજીના આવાસે એક અજાણ્યા હિન્દુ પુરૂષની સાથે તે મારા તરફ વફાદાર રહેવા બાબત જે વાતચિત્ત કરી હતી, તેથી તથા મારા ઉપર તારે જે વિશ્વાસ છે, તેથી હું તારા ઉપર ઘણેજ ખુશી થયો છું. વળી શાહજાદીના મહેલમાં આવવામાં પણ તારી બીલકુલ કસુર નથી, એમ ફેજીએ મને સઘળી બનેલી બીના કહીને સમજણ પાડી છે અને તેથી તે તદ્દન બેગુન્હા છે. ફેજીએ તને કારાગૃહમાંથી મુક્ત કરીને જે કે સાહસ કામ કરેલું છે તે પણ તે મારે મિત્ર હોવાથી તેને તથા તું નિર્દોષ હોવાથી તેને પણ માફી આપું છું, પરંતુ એક વાત તારે અત્યારે ખરેખરી કહેવી પડશે.” , વિયે બાદશાહનું ઉપર્યુક્ત કથન સાંભળીને તેની સન્મુખ ઘૂંટણીએ પડીને કહ્યું. “આપની રહેમને માટે મારે આપને કેટલે અને કે ઉપકાર માને, તે હું સમજી શકતા નથી. આપે જ્યારે મને અને મારા ઉપકારી તથા દિલના અમીર અબુલફેજને માફી આપી છે, ત્યારે મારે કોઈ પણ વાતને શા માટે છુપાવવી જોઈએ?”
વિજય!” બાદશાહે કહ્યું. “હું જે વાત તારી પાસેથી જાણવા માગું છું, તે એ છે કે ફેજીના આવાસે તેના પુસ્તકાલય વાળા ઓરડામાં, પેલા અજાણ્યા હિન્દુ પુરૂષના આગમન પહેલાં તું એક બાજુ સાથે વાત કરી રહ્યા હતા, તે કેણ હતી ?” | વિજયે આશ્ચર્ય પામીને કહ્યું. “ત્યારે એ અજાણ્યા હિન્દુ જેવા જણાતા પુરૂષ શું આપ પોતે ?”
હા” બાદશાહે હસીને જવાબ આપે.
આપને નહિ ઓળખી શકવાથી મારાથી આપને ઘણે અવિનય થયે છે, જહાંપનાહ! એ માટે મને ક્ષમા કરે.” વિજયે નમ્રતાથી કહ્યું.
વિજય ! તારાથી મારે અવિનય કઈ પ્રકારે થયે જ નથી. એટલે પછી ક્ષમા આપવાપણું છે જ નહિપરંતુ કહે જોઈએ, તે સ્ત્રી કેણ હતી ?” બાદશાહે પુનઃ પૂછયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org