SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ્યોદય. વિજયે નમ્રતાથી જવાબ આપે. “ જહાંપનાહ! આપને જે યોગ્ય લાગે તે સજા કરે; હું સહેવાને તૈયાર છું.” ઠીક છે, હું એજ વિચારમાં છું, પરંતુ કેદખાનામાંથી તને મુકત કરનાર કેણ છે, એ હું જાણવા માગું છું.” બાદશાહે કહ્યું. સરકાર ! કેદખાનામાંથી મને મુક્ત કરનાર ગમે તે હોય, તે સાથે આપને શો સંબંધ છે? હું એક જ ગુન્હેગાર છું અને તેથી મને જે સજા કરવી હોય તે કરે.” વિજયે શાંતિથી કહ્યું. વિજય!” બાદશાહે સહેજ આંખ ફેરવીને કહ્યું ” વાતને છુપાવીને હજુ તું તારા ગુન્હાની સંખ્યામાં વધારો કરે છે, તે યોગ્ય નથી. જે વાત સાચી હોય, તે જ કહી દે કેમકે સાચું બોલનારને હું હમેશાં માફ કરતે આવ્યો છું.” નામવર શાહ! હું હવે કાંઈ પણ કહેવાને ઈરછતે નથી અને તેથી આપને જે સજા ફરમાવવી હોય તે ફરમાવે; હું તાબેદાર આપની ગમે તેવી અને ગમે તેટલી ભયંકર આજ્ઞાને પણ સહન કરવાને તૈયાર છું; પરંતુ હું મારા ઉપર ઉપકાર કરનારનું નામ પ્રાણાતે પણ આપની સન્મુખ લેવાને નથી.” વિજયે દ્રઢતાથી કહ્યું. ઠીક છે, વિજય! જ્યારે તું ખરી વાત મારાથી છુપાવે છે, ત્યારે તે તેને ભયંકર શિક્ષા કરવી જ પડશે. “એમ કહી બાદશાહ આસન ઉપરથી ઉભું થયે અને વિજયની છેક પાસે જઈને ઉભો રહે. ફેંજીએ પણ બાદશાહનું અનુકરણ કર્યું. બાદશાહે વિજયને હાથ પોતાના હાથમાં લઇને સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું.” વિજય ! વિજય બાદશાહની આ રીતિથી તથા બલવાની ઢબથી અજાયબ થઈ ગયો, તેણે બાદશાહના ક્રોધની અને તેના ક્રોધમાં ને ક્રોધમાં મત અગર તે એવી જ કેઈ બીજી ભયંકર શિક્ષાની આશા રાખી હતી, પરંતુ બાદશાહે જ્યારે તેને પ્રેમપૂર્વક બોલાવ્ય, ત્યારે તે અજાયબ થાય, એ સર્વથા સ્વાભાવિક હતું. તેણે શાંતિથી કહ્યું. જહાંપનાહ! શી આજ્ઞા છે? શી સજા ફરમાવે છે? “આજ્ઞા ! સજા!” બાદશાહે જરા ભારપૂર્વક પણ હસતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy