________________
ભાગ્યોદય. યાદ કરે છે? તેને ખુલાસે કરશે તે ઉપકાર થશે.” વિજયે ભયાતુર નજરે તેમની તરફ જોતાં જોતાં નમ્રતાથી પૂછયું.
“અમે આ દુનિયાના માલેક શાહનશાહ અબુલ ફતેહ જલાઉદ્દીન મહમ્મદ અકબરશાહના કર્મચારીએ છીએ.” હિન્દુ કર્મ ચારીએ ઉત્તર આપતાં કહ્યું. “તેઓ આપને શું કારણથી યાદ કરે છે એ અમે જાણતા નથી, પરંતુ અમે બાદશાહ સલામતની નેક આ જ્ઞાથી આપને તેમની હજુરમાં લઈ જવાને માટે આવ્યા છીએ.”
ભલે, હું બાદશાહ સલામતની આજ્ઞાને માન આપી આપની સાથે આવવાને તૈયાર છું.”વિજયે ધીમેથી કહ્યું.
બહુ સારૂ. અમારી પાછળ ચાલ્યા આવો.” એમ કહી ઉભય કર્મચારીઓ આગળ અને વિજય પાછળ એ રીતે તેઓ ત્રણે ફિજીના મકાનની બહાર નીકળી ગયા અને રાજ્ય મહાલય તરફ ચાલવા લાગ્યા.
કેટલાક સમય સુધી તેઓએ ચાલ્યા કર્યું અને છેવટે અકબર શાહના વિશાળ અને ગગનચુંબિત મહાલયના દ્વાર પાસે આવી પહોંચ્યા. દ્વારપાળ સાથે ઘટતી વાતચીત થયા બાદ તેઓ અંદર પિઠા. વિજ્ય આ અત્યંત મનહર અને દેવવિમાન સરખા મહાલયને જોઈને આશ્ચર્યમુગ્ધ થઈ ગયે. યમુના નદીને કિનારે આ મહેલ બાંધવામાં આવ્યું હતું. મહેલની તમામ બાંધણી સંગેમરમરના અતિ ઉજજવલ અને ધવલ પત્થરની હતી અને તેથી તે બરફના પહાડ સરખે શોભતે હતે. મહેલની પ્રત્યેક દિવાલ સફેદ, સુંવાળી અને ચળકતી હતી અને તે ઉપર વિવિધ પ્રકારના રંગથી પક્ષીઓ, પશુઓ અને મનુષ્યના રંગબેરંગી અને મનહર ચિત્રો આલેખેલાં હતાં. મહેલમાં પ્રત્યેક સ્થળે ભેંયતળી એ આરસ પત્થરના જુદા જૂદા રંગના ચોસલાં જડી દીધેલાં હતાં અને બીલોરી કાચ પાથર. વામાં આવ્યું હતું. આ સુંદર મહેલમાં અસંખ્ય ઓરડાઓ દિવાનખાનાઓ, આરામગૃહ, શયનગૃહ, હમામખાનાઓ, ઉદ્યાને અને બાગે આવેલાં હતાં અને તે પ્રત્યેકને સર્વોત્તમ રીતે શણગારવામાં આવેલાં હતાં. આ સુંદર મહેલમાં રાતને સમયે જ્યારે અસંખ્ય દી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org