________________
૨૬
ભાગ્યવિધાયક ભામાશાહ. કરીને આ ઓરડામાં આવવાથી તેને કેવા સંગોમાં મુકાવું પડયું હશે અને ભવિષ્યમાં તેનું શું પરિણામ આવશે એજ વિચારે તેને સાલતા હતા, પરંતુ પરમાત્માના ધ્યાનથી તેના હૃદયને સર્વ ભાર ઓછો થઈ ગયે અને હદયમાં અપૂર્વ શાંતિનું ભાન થતાં તેના જીવનને પણ કરાર વ. રજીયાના ભૂવનમેહન રૂપદર્શનથી, અજાણ્યા પુરૂષની સાથે થયેલા વાર્તાલાપથી અને ફેજીના અચાનક આગમનથી વિજયના હૃદયમાં જે તુમુલ યુદ્ધ મચી રહ્યું હતું, તે પરમાત્માના પવિત્ર નામના શુભ ધ્યાનથી હવે શાંત થઈ ગયું હતું અને તેથી તે પોતાના ગુણ ઓરડામાં પુનઃ જવાનો વિચાર કરીને દ્વારની બહાર નીકળ્યો. દ્વારની બહાર નીકળતાં જ તે એકદમ ચમકી ગયા કારણકે બે પુરૂષે પોતાની તરફ ચાલ્યા આવતા તેની નજરે પડ્યા. વિજય આ બે પુરૂષે કેણ હશે તથા તેઓ શા હેતુથી પતાના તરફ આવતા હશે, એ વિષે વિવિધ કલ્પનાઓ કરતે જ્યાંને ત્યાં ઉભો રહ્યો. એટલામાં તે બન્ને પુરૂષ તેની છેક પાસે આવી પહોંચ્યા. વિજય જોઈ શક્યો કે આવેલા બે પુરૂષમાં એક હિન્દુ હતું અને બીજે મુસલમાન હતા. તેઓ રાજ્યના કર્મચારીઓ હેય એવું તેમણે પહેરેલા પોશાકથી તથા કમરે લટકાવેલી તલવા રોથી અનુમાન થતું હતું. તે ઉભય પુરૂષ વિજયને લશ્કરી નિયમ સલામ કરીને તેની સામે ઉભા રહ્યા એટલે વિજયે તેમને પૂછયું. આપ કોણ છે અને આપના આગમનનું શું પ્રયોજન છે, તે કહેશે?”
હિન્દુ કર્મચારીએ તેનો ઉત્તર આપવાને બદલે સામે સ્વાલ કર્યો. “આપનું નામ વિજયકુમાર કે?”
જી, હા”વિજયે નમ્રતાથી જવાબ આપે; પરંતુ તેને તરતજ વિચાર થયે કે પોતાના છુટકારાની ખબર બાદશાહને પડે. લી જણાય છે અને તેથી તેણે રાજ્ય કર્મચારીઓને પિતાને પુનઃ કેદ કરવાને માટે મોકલ્યા જણાય છે.
બહુ સારૂં, અમારી સાથે ચાલે; આપને બાદશાહ સલામત યાદ કરે છે.” મુસલમાન કર્મચારીએ કહ્યું.
“પરંતુ આપ કોણ છે તથા બાદશાહ સલામત મને શું કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org