________________
ભેદ ખુલ્લે થયો. શા માટે નહિ?” તે પુરૂષે પૂછયું. હવે વિજય ડીવાર વિચારમાં પડી ગયે; પરંતુ તેને તુર તજ જણાયું કે જ્યારે આ પુરૂષ પિતાની બધી હકીકત જાણે છે, ત્યારે તેની પાસે વાતને છુપાવવાથી કશું પણ ફળ નથી અને તેથી તેણે હવે ખુલ્લા દિલથી વાત કરવા માંડી.
તેણે કહ્યું. “શહેનશાહ અકબરના જેવા ન્યાયી અને પ્રજાપ્રિય રાજકર્તાના ગુન્હામાંથી મુકત થવાને માટે તેનાથી વિરૂદ્ધ પક્ષના શાહજાદાની કૃપા મેળવવા પ્રયાસ કરે, એ મને ગ્ય લાગતું નથી અને તેથી જ હું એ તરૂણની સલાહને સારી માન નથી.”
તે પુરૂષે એકદમ કહ્યું. “ આ તમારા કથન ઉપરથી જણાય છે કે બાદશાહે તમને કઈ ગુન્હા માટે કેદ કરેલા, એ વાત તે સત્ય જણાય છે.” વિજયે નિખાલસ દિલથી કહ્યું. “હા”
ત્યારે તમે કેદખાનામાંથી છુટ્યા શી રીતે?” તે પુરૂષ સત્તાવાહક અવાજે પૂછયું અને વિજય તેને શું જવાબ આપે છે, તે સાંભળવાને તે આતુર થઈ રહ્યો.
વિજય હવે બરાબર સપડાઈ ગયે અને સાથે ગભરાઈ પણ ગયો. તેણે નમ્રતાથી ઉત્તર આપ્યો, “હું એ વાત કહેવાને ઈચ્છતે નથી.”
ભલે, જેવી તમારી ઈચ્છા, હું એ કહેવાને માટે તમને આગ્રહ પણ કરતા નથી, પરંતુ જ્યારે તમે ગુન્હેગાર છે, ત્યારે તેમાંથી મુક્ત થવાને માટે તમારે એ તરૂણુની સલાહ માનવી અને તે પ્રમાણે વર્તવું, એ તમારા હિતની દ્રષ્ટિએ ગ્ય જ છે. તે પુરૂષે કહ્યું.
મારા હિતની દષ્ટિએ ભલે ગ્ય હોય, પરંતુ એક ન્યાયી બાદશાહના વિરૂદ્ધ પક્ષમાં ભળીને રાજદ્રોહી બનવાને માટે હું ઈચ્છતું નથી અને તેથી જ હું તે સલાહને અગ્ય ગણું છું વિજયે કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org