SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ્યવિધાયક ભામાશાહ. લાભ લીધે છે. તમે જાણે છે કે શહેનશાહ અકબર બહુજ ભલા અને ન્યાયી છે, પરંતુ મારા શેહર જેવા કેટલાક ઈસલામ ધર્મ ઉપર અશ્રદ્ધા ધરાવનારા વિદ્વાનેએ તેમને ઈસલામ ધર્મમાં શંકાશીલ બનાવીને એક નવેજ પંથ તેમની સહાયથી કહાડ્યો છે અને તેથી ઘણું કટ્ટર મુસલમાને તેમનાથી વિરૂદ્ધ પડી ગયા છે અને તેવા સર્વની ઉપર વેર પણ ધરાવે છે. ખુદ શાહજાદા સલીમ પણ તેના બાબાની વિરુદ્ધમાં છે અને તેથી જે શાહજાદાની કૃપાને મેળવશે, તે તે તમને બાદશાહની તમારા ઉપર જે અકૃપા છે, તેમાંથી બચાવી લેશે અને તમે જે તેને વિશ્વાસુ બનીને રહેશે, તે તે તમને સુખી પણ બનાવી દેશે. શાહજાદા એવા તે દિલાવર પુરૂષ છે કે જે તમે તેના પક્ષમાં રહીને તેને હુકમ બજાવશે, તે જ્યારે તે તનશિન થશે, ત્યારે તે તમને ઉચ્ચપદના અધિકારી બનાવતાં જરા પણ ઢીલ કરશે નહિ.” રજીયાનું લાંબુ ભાષણ ધીરજથી સાંભળીને વિજયે કહ્યું. “મારા જેવા સામાન્ય મનુષ્ય પ્રત્યેની તમારી લાગણી જોઈને અને તમે મને આપેલી સારી સલાહને વિચાર કરીને હું તમારો ઘણેજ ઉપકાર માનું છું, બાનુ ! પરંતુ શાહજાદા સલીમ જે શહેનશાહ અકબરની વિરુદ્ધમાં હોય, તે પછી તેમની કૃપા મેળવવા અને તેમના વિશ્વાસુ બનવા, તેમના પક્ષમાં ભળીને શું મારે રાજદ્રોહી બનવું?” રજીયાએ વિજય સામે નેત્રના કટાક્ષબાણ મારતાં કહ્યું. “એમાં રાજદ્રોહી બનવાપણું કયાં છે? શું તમે તમારું હિત પણ વિચારી શકતાં નથી ?” . શહેનશાહ અકબર જેવા ન્યાયી, ઉદાર, ભલા અને દયાળુ રાજક્તના વિરૂદ્ધ પક્ષમાં ભળીને હું મારું હિત સાધવાને તૈયાર નથી, બાન ! ” વિજયે ગંભીરતાથી જવાબ આપે. વિજય ! તમારું વય હજુ કાચું છે. અને તેથી તમારામાં સારાસાર વિચારવાની શક્તિ નથી. તમે વિચાર કરો કે તમે પિતે અકબરશાહના મોટા ગુન્હામાં છે. જ્યારે તે જાણશે કે તમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy