SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર બેદરકારી માટે ઠપકો આપે. આથી મહાવીરે વિચાર્યું કે પિતાને લીધે અન્ય તાપમાં અપ્રીતિ થાય પંચવતે માટે એમણે ત્યાં રહેવું ઉચિત નથી. તે જ સમયે એમણે નીચેનાં પાંચ વ્રત ધારણ કર્યા : (૧) જ્યાં બીજાને અપ્રીતિ થાય ત્યાં વસવું નહીં, (૨) જ્યાં રહેવું ત્યાં સદા કાર્યોત્સર્ગ કરીને જ રહેવું, (૩) સામાન્ય રીતે મૌન રાખવું, (૪) હાથમાં જ ભેજન કરવું; અને (૫) ગૃહસ્થને વિનય કરે નહીં. સંન્યાસ લેતાં જ એમને બીજાના મનની વાત જાણી લેવાની સિદ્ધિ પ્રાપ્ત થઈ એ સિદ્ધિને એમણે કાંઈક ઉપયોગ પણ કર્યો. ૬. એ વર્ષને અંતે જ એક વાર એક છીંડામાંથી જતાં એમનું બાકી રહેલું અડધું વસ્ત્ર કાંટામાં દિગંબર દશા ભરાઈ ગયું. જે છૂટી ગયું તે ઉપયોગી નહીં જ હોય એમ માની લઈ મહાવીર ત્યાંથી આગળ ચાલતા થયા. પેલા બ્રાહ્મણે આ કટકા ઉપાડી લીધો. ૧. કાત્સર્ગ = કાયાને ઉત્સર્ગ. શરીરને પ્રકૃતિ સ્વાધીન કરીને ધ્યાનસ્થ રહેવું. એના રક્ષણ માટે કોઈ જાતના કૃત્રિમ ઉપાય – જેવા કે કંપડી બાંધવી, કાળી ઓઢવી, તાપવું વગેરે – લેવા નહીં. ૨. પિતાની જરૂરિયાતો માટે ગૃહસ્થના ઉપર અવલંબીને ન રહેવું, અને એના કાલાવાલા ન કરવા.
SR No.004911
Book TitleBuddha ane Mahavira
Original Sutra AuthorN/A
AuthorKishorlal Mashruvala
PublisherNavjivan Prakashan Mandir
Publication Year2005
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy