SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સાધના નાખતા. કેટલીક જગ્યાએ એમને ટાઢ, તડકે, વંટોળિયા, વરસાદ વગેરે નૈસર્ગિક વિટંબણાઓ તથા સર્પ, વાઘ વગેરે હિંસ પ્રાણુઓ તરફથી પણ ભારે આપત્તિઓ વેઠવી પડી. આ બાર વર્ષનો અહેવાલ આ ઉપસર્ગો અને પરિષહનાં કરુણાજનક વર્ણનથી ભરાઈ જાય છે. જે પૈર્ય અને ક્ષમાની વૃત્તિથી એમણે એ સર્વે સહી લીધાં તેથી સ્વાભાવિક રીતે જ આપણું હૃદય એમની તરફ આદરભાવે ખેચાય છે. સર્પ જેવાં વેરને ન ભૂલનારાં પ્રાણીઓ પણ એમની અહિંસાવૃત્તિના પ્રભાવ તળે આવી વેરભાવ છોડી દેતાં. પણ મનુષ્ય ઘણી વાર સર્પ અને વાઘ કરતાંયે વિશેષ પરપીડક થતું એમ એમનું જીવનવૃતાન્ત બતાવે છે. છે. એક વાર મહાવીર મેરાક નામે ગામ પાસે આવી પહોંચ્યા. ત્યાં એમના પિતાના એક મિત્ર કેટલાક પ્રસંગે કુલપતિને આશ્રમ હતો. એણે મહાવીરને મેરાક ગામ પિતાના આશ્રમમાં એક ઝૂંપડી બાંધી ચાતુર્માસ સાધના કરવા વિનંતી કરી. ઝૂંપડી ઘાસની બનાવેલી હતી. વરસાદે હજી મંડાણ કર્યું ન હતું. એક દિવસ કેટલીક ગાયે આવી અને એમનાં તથા બીજા તાપસનાં ઝૂંપડાં ખાઈ જવા લાગી. અન્ય તાપસીએ તે ગાને લાકડી વતી હાંકી કાઢી, પણ મહાવીર તે પિતાના ધ્યાનમાં જ સ્થિર બેસી રહ્યા. આવી નિસ્પૃહતા બીજા તાપસેથી ખમાઈ નહીં, અને તેથી એમણે કુલપતિ પાસે જઈ મહાવીરે પિતાની ઝૂંપડી ખવાડી દેવાની વાત કરી. કુલપતિએ મહાવીરને
SR No.004911
Book TitleBuddha ane Mahavira
Original Sutra AuthorN/A
AuthorKishorlal Mashruvala
PublisherNavjivan Prakashan Mandir
Publication Year2005
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy