SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ વિગ સહન કરી લીધો. બુદ્ધનાં ક્લે પર ક્યાં સમાધિ બાંધવી એ વિશે એમના શિષ્યમાં બહુ કલહ સ્તૂપે થયે. છેવટે એ ફૂલેના આઠ વિભાગ કર વામાં આવ્યા. એને જુદે જુદે ઠેકાણે દાટી એ ઉપર સ્તૂપો બાંધવામાં આવ્યા. એ ફૂલ જે ઘડામાં રાખ્યાં હતાં તે ઘડા ઉપર અને એમની ચિતાના કોલસા ઉપર પણ બે સ્તૂપ બંધાયા. ૨૬, ફૂલ પરના આઠ સ્તૂપે નીચેનાં ગામમાં છે? - રાજગૃહ (પટના પાસે), વૈશાલી, કપિલવસ્તુ, બૌદ્ધ તીર્થો અલ્લક૫, રામગ્રામ, વેઠદ્વીપ, પાવા અને કસિનારા, બુદ્ધનું જન્મસ્થાન લુમ્બિનીવન (નેપાળની તરાઈમાં), જ્ઞાનપ્રાપ્તિનું સ્થાન બુદ્ધગયા, પ્રથમેપદેશનું સ્થાન સારનાથ (કાશી પાસે) અને પરિનિર્વાણનું સ્થાન કસિનારા એ બૌદ્ધ ધર્મનાં મુખ્ય તીર્થો તરીકે લાંબા કાળ સુધી આ વિધિથી બુદ્ધ આદર ૨૭. એવી પૂજાવિધિથી બુદ્ધના અનુયાયીઓએ પિતાના ગુરુ પ્રતિને પિતાને આદર બતાવ્યું. પણ ઉપસંહાર એમણે પિતે તે છેવટના ઉપદેશમાં આ મુજબ કહેલું: “મારા પરિનિર્વાણ પછી મારા દેહની પૂજા કરવાની ભાંજગડમાં પડતા નહીં. મેં જે સન્માર્ગ શીખવ્યું છે તે પ્રમાણે ચાલવા પ્રયત્ન કરજે. સાવધાન, ઉદ્યોગી અને શાન રહેજે. મારા અભાવે મારો ધર્મ અને વિનય એને જ તમારા ગુરુ માનજે, જેની ઉત્પત્તિ થઈ છે તેનો નાશ છે એમ વિચારી સાવધાનપણે વર્તો.”
SR No.004911
Book TitleBuddha ane Mahavira
Original Sutra AuthorN/A
AuthorKishorlal Mashruvala
PublisherNavjivan Prakashan Mandir
Publication Year2005
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy