________________
૧૨. એમને ત્રીજે વિરોધી દેવદત્ત નામે તેમને
એક શિષ્ય જ હતું. દેવદત્ત શાક્ય વંશને દેવદત્ત જ હતું. એ એશ્વર્યને અત્યંત લેબી
હતો. એને માન અને મોટપ જોઈતાં હતાં. કે રાજકુમારને પ્રસન્ન કરી એણે આ કાર્ય સાધવા વિચાર કર્યો.
૧૩. બિઅિસાર રાજાને એક અજાતશત્રુ નામે પુત્ર હતો. દેવદત્તે એને ફેલાવી પિતાને વશ કરી લીધે.
૧૪. પછી એ બુદ્ધ પાસે આવી કહેવા લાગ્યઃ તમે હવે ઘરડા થયા છે. માટે સર્વ ભિક્ષુઓને મને નાયક બનાવો, અને તમે હવે શાન્તપણે બાકીનું આયુષ્ય ગાળે.”
૧૫. બુદ્ધે એ માગણી સ્વીકારી નહીં. એમણે કહ્યું: “તું એ અધિકારને લાયક નથી.”
૧૬. દેવદત્તને આથી અપમાન લાગ્યું. એણે બુદ્ધ ઉપર વેર વાળવા મનમાં ગાંઠ બાંધી.
૧૭. એ અજાતશત્રુ પાસે ગયા અને બોલ્ય: “કુમાર, મનુષ્યદેહને ભરોસો નથી. ક્યારે મરી જવાશે તે કહેવાય નહીં. માટે જે પ્રાપ્ત કરવાનું છે તે તરત જ મેળવી લેવું જોઈએ. તું પહેલે મરીશ કે તારે બાપ પહેલો મરશે એ નકકી નથી. તેને રાજ્ય મળે તે પહેલાં જ તારો કાળ આવવાનો સંભવ છે. માટે રાજાના મરવાની રાહ ન જોતાં એને મારીને તું રાજા થા, અને બુદ્ધને મારીને હું બુદ્ધ થાઉં.”