SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક પ્રસંગે અને અંત પ૩ હતી. એમના ઉપર વૈરભાવ રાખનારા કેટલાયે જન નીકળ્યા, હલકામાં હલકાં આળ ચડાવવાથી લઈને એમને મારી નાખવા સુધીના પ્રયત્ન કરવામાં આવ્યા, પણ એમના હૃદયમાં એ વિરોધીઓ વિશે પણ મિત્રતાથી હલકો ભાવ નીકળી શક્યો જ નહીં, એ નીચેના પ્રસંગો પરથી સમજાશે, અને તે ઉપરથી અવતાર એટલે કેવા પુરુષ હોય તેને ખ્યાલ આવશે. ૩. કૌશામ્બીના ઉદયન રાજાની રાણું જ્યારે કુમારી હતી, ત્યારે એના પિતાએ બુદ્ધને એનું કોશાબની રાણી પાણિગ્રહણ કરવા વિનંતી કરેલી. પણ બુદ્ધ તે વખતે જવાબ વાળ્યું હતું કે : “મનુષ્યના નાશવંત શરીર ઉપરથી મેહ છૂટી જવાથી મેં ઘર છોડ્યું. પરણવામાં મને કશો આનંદ જણાતું નથી. હું એ કન્યાને સ્વીકાર કેવી રીતે કરું ?” ૪. પિતાના જેવી સુંદર કન્યાને અસ્વીકાર કરવાથી એ કુમારીનું અપમાન લાગ્યું. વખત આવ્યે બુદ્ધ પર વેર વાળવા એણે મનમાં નિશ્ચય કર્યો. તે દહાડે એ ઉદયન રાજાની પટ્ટરાણું થઈ ૫. એક વાર બુદ્ધ કૌશામ્બીમાં આવ્યા. શહેરના લફંગાઓને પૈસા આપી આ રાણીએ એમને શીખવ્યું કે જ્યારે બુદ્ધ અને એના શિષ્ય શહેરમાં ભિક્ષા માટે ફરે, ત્યારે એમને ખૂબ ગાળે દેવી. તે ઉપરથી જ્યારે બુદ્ધને
SR No.004911
Book TitleBuddha ane Mahavira
Original Sutra AuthorN/A
AuthorKishorlal Mashruvala
PublisherNavjivan Prakashan Mandir
Publication Year2005
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy