SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધ પૂછી એનાથી ચંપલ લૂછવા. પહેલાં કોરા કકડાથી લૂછી, પછી ભીના કકડાથી લૂછવા વિહારમાં રહેનાર વડીલ ભિક્ષુઓને પ્રણામ કરવા, અને નાનાના પ્રણામ સ્વીકારવા; પિતાને રહેવા માટેના સ્થાનની તપાસ કરી, ત્યાં આસન કરવું, ખાવા-પીવાની તથા પાયખાના-પેશાબની શી સગવડ છે તે જાણી લેવી જવાના, આવવાના, રહેવાના તથા સામુદાયિક ઉપાસનાના સમય જાણી લેવા. ૮. આવાસિક (વિહારમાં રહેનાર) ભિક્ષુએ આગંતુક યજમાનના ભિક્ષુને નીચે મુજબ સત્કાર કરવો ધર્મો (૨૪) જે આગંતુક ભિક્ષુ પિતાથી માટે હોય તો એને માટે આસન તૈયાર કરવું, પગ દેવાનું પાણી તથા પાટલે તૈયાર રાખવાં, સામા જઈ એના હાથમાં સામાન લઈ લે; પાણી પીવા જોઈતું હોય તો પૂછી જેવું બની શકે તે એના ચંપલ સાફ કરવાનું લૂગડુ જોઈ નાખવું. આગંતુકને પ્રણામ કરવાનું તેને રહેવાની જગ્યા બતાવવી; જવા આવવાના, સૂવાના ઈત્યાદિ નિયમથી વાકેફ કર, પાયખાના-પેશાબની જગ્યા બતાવવી. જે આગંતુક ભિક્ષુ પિતાનાથી નાનું હોય તો પોતે આસનસ્થ રહીને જ બેલાવ અને “અમુક જગ્યાએ પાત્ર મૂક, અમુક જગ્યાએ વસ્ત્રો મૂક, અમુક જગ્યાએ આસન પર બેસ' વગેરે સૂચનાઓ કરવી. ૯ વિહારમાંથી વિદાય લેનારે જતાં પહેલાં નીચે પ્રમાણે વ્યવસ્થા કરીને જવું ઃ
SR No.004911
Book TitleBuddha ane Mahavira
Original Sutra AuthorN/A
AuthorKishorlal Mashruvala
PublisherNavjivan Prakashan Mandir
Publication Year2005
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy