SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ ૩૭ પૂર્ણ: તે વખતે, હે ભગવન, હું માનીશ કે આ લેકે બહુ સારા છે, કારણુ કે તેએએ મારા ઉપર હાથથી પ્રહાર કર્યાં નથી. બુદ્ધ : અને જો તેઓએ તારા ઉપર હાથથી પ્રહાર કર્યાં તે ? પૂર્ણ : મને તેઓએ પથ્થરથી માર્યાં નહીં, તેથી તે લેાકેા સારા જ છે એમ હું સમજીશ. યુદ્ધ : અને પથરાએથી મા તે? : પૂર્ણ મારી ઉપર તેઓએ દંડપ્રહાર કર્યાં નહીં, તેથી તે બહુ સારા લેાક છે એમ હું સમજીશ. બુદ્ધ અને દંડપ્રહાર કર્યાં તે? પૂર્ણ: શસ્ત્રપ્રહાર કર્યાં નહીં એ તેમનું ભલપણુ છે એમ સમજીશ. બુદ્ધ : અને શસ્ત્રપ્રહાર કર્યાં તે પૂર્ણ : મને ઠાર માર્યાં નહીં એ તેમની ભલાઈ છે એમ સમજીશ. બુદ્ધ અને ઠાર માર્યો તે : પૂણૅ : ભગવદ્, કેટલાએક ભિક્ષુ આ શરીરથી કંટાળીને આત્મઘાત કરે છે. એવા શરીરના જો આ સુનાપરન્તના રહેવાસીઓએ નાશ કર્યાં, તે તેમણે મારા ઉપર ઉપકાર કર્યાં એમ હું માનીશ. અને તેથી તે લેાકે બહુ જ સારા છે એમ સમજીશ.
SR No.004911
Book TitleBuddha ane Mahavira
Original Sutra AuthorN/A
AuthorKishorlal Mashruvala
PublisherNavjivan Prakashan Mandir
Publication Year2005
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy